વડોદરાના ગોત્રી વિસ્તારમાં સાજન ભરવાડ અને તેના સાથીઓ ધ્વારા વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી મામલે વ્યાજે પૈસા લેનાર ચેતન વાળંદે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કરતા ગોત્રી પોલીસે ચેતન વાળંદના પરિવારજનોનું નિવેદન લઇ વ્યાજખોરોને પકડવા તજવીજ હાથ ધરી છે.
લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા ચેતન વાળંદે સાજન ભરવાડ, સુરેશ ભરવાડ અને વિઠ્ઠલ ભરવાડ પાસેથી રૂા.3.90 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા, આ પછી ચેતન વાળંદના કહેવા મુજબ તેણે વ્યાજખોરોને રૂા.9 લાખ આપ્યા હતા. છતાં વ્યાજખોરો દ્વારા ઉઘરાણી ચાલુ રહેતા વ્યાજખોરોથી તંગ આવીને ચેતન વાળંદે કપાસના જંતુ મારવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેથી તેમને સારવાર માટે ગોત્રી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જે અંગે પોલીસ તપાસ કરી રહી છે.