—બિનખેતીની જમીન ઉપર ઉભા થનાર ગેરકાયદે ક્વોરીના પ્રોજેકટ ને લઈ ડસ્ટના પ્રદૂષણ મામલે લોકોના સ્વાસ્થ્ય સામે સવાલો ઉઠતાં ગ્રામ પંચાયતની ચૂંટાયેલી બોડી દ્વારા વિરોધ શરૂ થતાં કવોરી શરૂ થાય તે પહેલાંજ વિવાદોમાં સપડાઈ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલ માંડવા ગામે પથ્થર દળવાની કવોરી શરૂ થવાની હિલચાલનો ગ્રામજનોએ સખત વિરોધ કરતા કવોરી શરૂ થાયતે પહેલાંજ વિવાદમાં સપડાઈ છે.
ગામના ખાતા નં :-૮૨૬ અને સરવે નં:-૧૫૪૭ વાળી બિનખેતીની જમીનના ખેડૂતે કવોરી માટે અન્યને ભાડા પેટે આપી દેતા વિવાદ ઉભો થયો છે.
જોકે,આ કવોરીનો પ્રોજેકટ શરૂ થાય તે પહેલાંજ વિવાદ શરૂ થયો છે અને ગ્રામજનો સમેત ગ્રામ પંચાયતની ચૂટાયેલી બોડી દ્વારા શરૂ થનારા કવોરીના પ્રોજેકટ સામે વિરોધ કરી કવોરી ચાલુ નહિ દેવા સંદર્ભે ઠરાવ પણ કર્યો હતો.
ગ્રામજનોનું કહેવું છે કે કવોરી નજીક શ્રી હનુમાનજીનું મંદિર આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવે છે ઉપરાંત અહીં પ્રાથમિક-માધ્યમિક શાળા પણ આવેલી છે જેમાં બાળકો અભ્યાસ કરે છે અને નજીકમાં સરકારી નર્સરી પણ આવેલી છે જ્યાં અનેક લોકો કામ કરે છે જેઓ આ ક્વોરી દ્વારા છોડવામાં આવનાર ડસ્ટ ના પ્રદૂષણના સંપર્કમાં આવતા તેઓના સ્વાસ્થનો સવાલ ઉભો થઇ શકે તેમ છે, સાથેજ અન્ય ફળદ્રુપ જમીનો બંજર થવાની શક્યતાઓ વધી જાય તેમ છે જેથી
ગ્રામજનોનું આરોગ્ય જોખમાય અને જમીનો બગડે નહિ તે માટે સબંધિત વિભાગ દ્વારા ક્વોરીને મંજૂરી નહિ આપવા માંગ કરી આ ક્વોરીનો વિરોધ કરતા કવોરી શરૂ થાય તે પહેલાંજ વિવાદમાં સપડાઈ છે.