વલસાડ તા. ૧૭ જુલાઈ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પર્વતીય પ્રદેશમાં આવેલા છેવાડાના સુથારપાડા ગામમાં વલસાડના શ્રી લાલજી વેલજી શાહ ગૌ શાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્ટી અનિશ શેઠિયાના સહકારથી ગૌદાન પ્રોજેક્ટ ચેરપર્સન ડૉ.આશા ગોહિલ દ્વારા ગૌદાન કાર્યક્રમ યોજાયો હતો. ગામના સરપંચ મહેશભાઈ ગાંવિત, કાળુભાઈ અને ગ્રામજનોની મદદથી જરૂરિયાતમંદ લોકોને મદદ પૂરી પડાઈ હતી. સુથારપાડાની નજીકમાં વાવર ગામે જરૂરિયાતમંદ લોકોને ખેતીમાં મદદરૂપ થાય એ માટે કુલ ૧૫ ગૌવંશ પૂરા પાડવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કુલ ૧૪૬૧ ગૌવંશ થકી લોકોને મદદ મળી રહી છે.
