કોરોના ના કેસ વધતા વલસાડ માં શનિ-રવિ મંદિરો બંધ રાખવા સહિત દમણ માં પ્રશાશન દ્વારા પ્રવાસીઓ ને રામસેતુ ઉપર જવા પ્રતિબંધ ફરમાવાયો છે.
વલસાડ માં કોરોના ના કેસ વધતા વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયુ છે અને જિલ્લા પ્રશાસન દ્વારા શનિ-રવિ દરમિયાન મંદિર બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે ,
વલસાડ એસડીએમ દ્વારા ટ્વીટ કરાયુ છે કે વલસાડ-તિથલ શ્રી સાંઇબાબા,શ્રી સ્વામિનારાયણ મંદિર વ્યવસ્થાપક મંડળ દ્વારા કોરોના સંક્રમણ ઘટાડવા શનિ-રવિ દર્શનાર્થીઓ માટે બંધ રાખવા નિર્ણય લેવાયો છે.
સાથે જ વલસાડ ના શ્રીતડકેશ્વર મહાદેવ મંદિર, પારનેરા ના શ્રી ચામુંડામાં મંદિર, શ્રી વૈશ્નોદેવી મંદિર-ધમડાચીના વ્યવસ્થાપક મંડળે કોરોના સંક્રમણ ઘટાડવા આજથી હવે પછીના તમામ શનિવાર-રવિવારે મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો આવકારદાયક નિર્ણય કર્યો છે.
અત્રે નોંધનીય છે કે રવિવારે વધુ 140 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે પૈકી 9 બાળક અને 17 યુવાનો પણ કોરોના પોઝીટીવ આવ્યા હોવાનો સમાવેશ થાય છે. જોકે, કોઇ મૃત્યુનો બનાવ સામે આવ્યો ન હોવાથી થોડી રાહત ની વાત છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 744 પર પહોંચી ગઇ છે.
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ કોરોનાના કેસો વધતા તંત્ર દ્વારા નાઈટ કરફ્યુ જાહેર કરી દેવામાં આવ્યુ છે અને સંક્રમણ વધે નહિ તે માટે રામસેતુ બીચને 3 દિવસ માટે સહેલાણીઓ માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો. શુક્ર, શનિ અને રવિવારે રામસેતુ બીચ સહેલાણીઓ માટે બંધ રાખવા જેવા પગલાં ભરવામાં આવ્યા છે.