વલસાડ જિલ્લામાં ભીલાડના એએસઆઇ રતિલાલ ગાવીતે ઝેર પી જઈ ને કરેલા આપઘાત પ્રકરણ માં પરિવારજનો એ પોલીસ વિભાગ ના ઉપરી અધિકારીઓ દ્વારા અપાતા કથિત માનસિક ત્રાસ નું કારણ જણાવી આ દિશા માં તપાસ કરવા જિલ્લા પોલીસ વડા ને રજુઆત કરતા પોલીસ વર્તુળો માં આ મુદ્દો હવે ચર્ચાસ્પદ બન્યો છે.
મૃતકના પત્ની,બે પૂત્રી,પૂત્ર અને ભાઇએ વલસાડ એસપી સમક્ષ ત્રાસ આપનાર પોલીસ અધિકારી સામે એફઆઇઆર દાખલ કરી ન્યાયની માગ કરી છે.
વિગતો મુજબ ભીલાડ પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા રતિલાલ મંગુભાઇ ગાવિતે ભીલાડ પોલીસ લાઇન માં આવેલ રૂમ નં.29 માં સુસાઇડ કરી લીધું હતું.
આ કેસમાં મૃતકના પરિવારજનોએ ઉપરી અધિકારીના ત્રાસનો આક્ષેપ કર્યો છે. મૃતકના પત્ની હંસાબેન ગાંવિત, પૂત્રી શીતલ,સોનલ,પૂત્ર આશિષ અને મરનારના ભાઇ અંબેલાલ ગાવિતે એસપી ડો.રાજદિપસિંહ ઝાલા ને મળીને પોલીસ કર્મચારી રતિલાલ ગાવીત ને માનસિક ટોર્ચર કરનાર અધિકારી વિરુદ્ધ પગલાં ભરી ન્યાય અપાવવા માંગ કરી હતી.
મૃતક ના પત્ની હંસા બેને જણાવ્યું કે તપાસના નિવેદનો સાથેની નકલો માગી
તેમના પતિ ને વારંવાર માનસિક ત્રાસ આપતો હોવાની તેઓ વાતો કરતા હતા અને ઉપરી અધિકારી ત્રાસ આપતા હતો આમ તેઓ એ પતિના આપઘાત માટે જવાબદાર અધિકારી સામે એફઆઇઆર દાખલ કરવા એસપીને રજૂઆતો કરી ન્યાયની માગણી કરતા પોલીસ બેડા માં ભારે ચકચાર મચી ગઇ છે.