રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધતુ જઈ રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાના 632 નવા કેસ નોંધાયા છે. જ્યારે 384 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસનો આંકડો 3200ને પાર થયો છે, જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.85 ટકા થયો છે. તો 15 દિવસ બાદ રાજ્યમાં વલસાડ જિલ્લામાં આજે એક દર્દીનું મોત નોંધાયું છે.વલસાડ જિલ્લામાં કોરોનાના કારણે બે વર્ષીય બાળકનું મોત નિપજ્યું હતું બાળકની ટ્રાવેલ હિસ્ટ્રી યુપી હોવાનું જાણવા મળ્યું છે.
આજે નવા 33 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 100ને પાર પહોંચી ચૂક્યો છે.
યુપીથી ટ્રેનમાં માતા સાથે વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે રહેતા પોતાના નાનીના ઘરે આવેલા બે વર્ષના બાળકને સામાન્ય શરદી ખસીના લક્ષણો હોય તેને નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર લઈ જવાતા પ્રાથમિક ન્યુમોનિયાના લક્ષણો જણાયા હતા તેથી બાળકને વલસાડ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવાયું હતું જ્યાં NICUમાં ન્યુમોનિયાની સારવાર દરમિયાન કોરોના ટેસ્ટ કરાવતા 2 વર્ષનું બાળક કોરોના પોઝીટીવ આવતા કોરોના અને નિમોનિયાની સારવાર દરમ્યાન બાળકનું કરુણ મોત નિપજતા પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું.
બીજી તરફ વલસાડમાં કોરોના સંક્રમિત બાળકનું મોત થતા આરોગ્ય વિભાગે તકેદારીના પગલાં ભરવાનું શરૂ કરી લોકોને જાગૃતિ કેળવવા અપીલ કરી છે.