લોકડાઉન માં લોકો બેકાર થઈ ગયા છે અને કામધંધા ને અસર પહોંચી છે ત્યારે વલસાડ રિક્ષા એસોસિએશન દ્વારા આર્થિક સહાય રૂપે મહિને 5 હજાર લેખે રિક્ષાચાલકો ને રોકડ સહાય કરવા માંગ કરાઈ છે.
રાજ્યના રિક્ષા એસોસિએશનો દ્વારા રિક્ષાચાલકોની રોજી રોટી બંધ થવાના કારણે રાજ્યમાં 15 લાખથી વધુ રિક્ષાચાલકોના પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે ત્યારે આ મુદ્દે વલસાડ રિક્ષા એસોસિએશન દ્વારા ગુરૂવારે જિલ્લા કલેકટર કચેરી પહોંચી કલેકટરને આવેદન આપ્યું છે. જેમાં બે માસથી રિક્ષાનો ધંધો બંધ થતાં માસિક રૂ.5000 લેખે 2 માસના રૂ.10 હજાર રિક્ષાચાલકોના ખાતામાં નાંખવા માંગ કરાઇ છે.હાલમાં બે પેસેન્જરોને બેસાડવાની છુટ છે,પરંતું લોકો બહાર નિકળતા ન હોવાથી ધંધો બંધ છે તેવા સમયે માસિક રૂ.5 હજારની આર્થિક સહાય દર મહિને આપવા માગ કરાઇ છે. જો તેમની માંગ પુરી નહિ કરવામાં આવે તો રાજ્યભરના તમામ રિક્ષાચાલકો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરી જશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
