ખાણ-ખનીજ વિભાગ અને મહેસુલ વિભાગનાં ભ્રષ્ટ અધિકારીઓ શંકાના દાયરામાં આવી ગયા છે કેમકે પગલાં ભરતા નથી
વલસાડ,કપરાડા,પારડી તાલુકામાં ઠેર-ઠેર ગેરકાયદેસર ઈંટનાં ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે છતાં તંત્ર કોઈ પગલાં ભરતું નથી અને જાણે છૂટ આપી છે.
દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં ઠેરઠેર ગેરકાયદે ઈંટના ભઠ્ઠા ધમધમી રહયા છે. ખાણ-ખનીજ વિભાગ અને મહેસુલ વિભાગનાં ભ્રષ્ટ અધિકારીઓનાં કારણે વલસાડ,કપરાડા,પારડી તાલુકામાં ઠેર-ઠેર ગેરકાયદેસર ઈંટનાં ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે.
આવા ચોક્કસ ઈંટના ભઠ્ઠા માલિકોએ જિલ્લા કે તાલુકા કક્ષાએથી કોઈપણ પ્રકારની પરવાનગી લીધી નહી હોવાની વાત ચર્ચાઈ રહી છે એટલુંજ નહિ પણ ગ્રામ પચાયતનાં મહેસુલી તલાટી અને સરપંચોનાં મેળાપીપણામાં પરપ્રાતીય માલિકો દ્રારા ઈંટનાં ભઠ્ઠાઓ ચાલું હોવાની વાત પણ તપાસનો વિષય બની છે.
આવા ઈંટના ભથ્થાઓ ખેતીની જમીન પર આડેધડ માટીનું ખોદકામ કરી જમીનને નુકસાન પહોંચાડી રહ્યા હોવાની બૂમ ઉઠવા પામી છે. ઈંટના ભઠ્ઠાના કારણે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન થઇ રહ્યું છે. ભઠ્ઠામાંથી ઉડતી ધુળ અને ધુમાડોનાં કારણે વાતાવરણ પ્રદૂષિત થાય છે.
આવા સંજોગોમાં જિલ્લા કલેકટર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.