વલસાડના BDCAના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આજથી રણજી ટ્રોફી મેચનો પ્રારંભ થશે,જેમાં ગુજરાત અને પંજાબની ટીમ વચ્ચે ટક્કર થશે.
ગુજરાતની ટીમ ચોથી મેચ અને પંજાબ ત્રીજી મેચ રમશે.
પંજાબ અગાઉ આ સીઝનમાં 1 મેચ હારી ગયું હોવાથી પંજાબની ટીમ આ મેચ જીતવા મક્કમ હોય મેચ રસપ્રદ બની રહેશે.
વલસાડ જિલ્લા ના 2 ખેલાડીઓ ગુજરાતની ટીમમાં રમી રહ્યા છે. અરઝાન નાગવાસવાલા અને સિદ્ધાર્થ દેસાઈ વલસાડના ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ ટુર્નામેન્ટમાં પંજાબ અને ગુજરાતના IPLના સ્ટાર ખેલાડીઓ પણ રણજી ટ્રોફીમાં રમવા આવ્યા હોવાથી બંને ટીમ વચ્ચે રાસકારી ભરેલી મેચ બની રહેશે. ગુજરાતની ટીમમાંથી પ્રિયંક પાંચાલ, અરઝાન નાગવાસવાલા, હેત પટેલ, સિદ્ધાર્થ દેસાઈ,ચિંતન ગજા રમી રહ્યા છે.
જ્યારે પંજાબની ટીમમાંથી અભિષેક શર્મા, મનદીપ સિંઘ, સિદ્ધાર્થ કોલ, મયંક માર્કંડે, હરપ્રિત બ્રાર જેવા સ્ટાર ખેલાડીઓ પંજાબની ટીમમાંથી રમી રહ્યા છે.