વલસાડ જિલ્લામાં કોરોનાએ ફરી માથુ ઉંચકયું છે અને આજે જિલ્લામાં 22 જેટલા લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા.
જે પૈકી કપરાડા તાલુકાના અંભેટી નવોદય આશ્રમ શાળામાં અભ્યાસ કરતા 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જાહેર થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.
નોંધનીય છે કે 2 દિવસ અગાઉ કપરાડા તાલુકામાં આવેલ અંભેટી આશ્રમ શાળામાં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થિનીઓ સંક્રમિત જાહેર થયા બાદ આજ રોજ તે વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા અને અન્ય વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવતા કુલ 13 વિદ્યાર્થીઓ સંક્રમિત જાહેર થતા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી છે.
આરોગ્ય વિભગની ટીમે સંક્રમિત જાહેર થયેલા તમામ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને હોસ્પિલમાં ક્વોરન્ટાઈન કર્યા છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓને પણ હોસ્ટેલમાં જ આઈસોલેશનમાં રખાયા છે. હોસ્ટેલ ખાતે જિલ્લા આરોગ્ય વિભગની એક ટીમ મુકવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.