વલસાડ જિલ્લામાં આગામી 18 એપ્રિલ,2022 ને સોમવારના રોજ 23 સેન્ટર ઉપર 3 સેશનમાં
ગુજકેટની પરીક્ષા યોજાનાર છે.જેમાં વલસાડ જિલ્લાના કુલ 5367 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં એ (મેથ્સ)-ગ્રૂપના 2279, બી (બાયોલોજી) ગ્રૂપના 3047 અને એબી (મેથ્સ-બાયોલોજી મિશ્ર) ગ્રૂપના 41 પરીક્ષાર્થી આ પરીક્ષામાં આપશે. ચાલૂ વર્ષે ગુજકેટની આ પરીક્ષામાં જિલ્લામાં 23 શાળા બિલ્ડિંગોમાં આ પરીક્ષા સવારે 10થી સાંજના 4 કલાકથી સુધી યોજાશે.
જેમાં સવારે 10 થી 12 કલાક સુધી ફિઝિક્સ,કેમેસ્ટ્રી, બપોરે 1 થી 2 વાગ્યા સુધી બાયોલોજી અને બપોરે 15 થી સાંજે 4 વાગ્યા સુધી મેથ્સ એમ કુલ 3 સેશનમાં પરીક્ષા યોજાશે. ગુજકેટ-2022 પરીક્ષામાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ તેમની હોલ ટિકિટ બોર્ડની વેબ સાઈટ gujcet.gsebht.in અથવા gsebht.in અથવા www.gseb.org ઉપરથી ડાઉનલોડ કરી શકશે. પરીક્ષાના આયોજન માટે વલસાડ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક નિવાસી અધિક કલેક્ટર એન.એ.રાજપૂતની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીમા મળી હતી.
આ બેઠક બાદ જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં પરીક્ષા બિલ્ડીંગોના સ્થળ સંચાલકો સાથે મિટિંગ યોજાઇ હતી. આ પરીક્ષામાં તમામ કામગીરી તટસ્થ રીતે કરવા સૂચનાઓ અપાઈ છે.
શુક્રવાર, મે 16
Breaking
- Breaking: શરદ પવાર અને અજિત પવાર વચ્ચે સમરસતા? મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સંકેતો
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી
- Breaking: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી પર ઉદિત રાજનું મોટું નિવેદન: મોદી સરકારને સંપૂર્ણ સમર્થન
- Breaking: જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન
- Breaking: પાકિસ્તાની ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય વાયુ સેના રહી ચાંપતી, LoC પર તંગદિલી
- Breaking: પાકિસ્તાની સેનાના અધિકારીઓ આતંકવાદીઓની અંતિમયાત્રામાં હાજર જોવા મળ્યા