વલસાડમાં ઔરંગાનદીના પાણી ઘુસી જતા સર્જાયેલી પૂર સ્થિતિ બાદ હવે પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવી રહયા છે.
વલસાડના છીપવાડ બજાર ખાતે આવેલ 60 થી વધુ દુકાનમાં પૂરના પાણી ઘૂસી જતા અંદાજે કરોડો રૂપિયાનો અનાજનો જથ્થો બગડી ગયો હોવાની વાસ્તવિકતા સામે આવી છે.
વેપારીઓએ બગડેલો અનાજનો જથ્થો ભારે હૈયે દુકાન બહાર કાઢી બગડેલા અનાજને ફેકવાની કાર્યવાહી હાથ ધરી હતી.
વલસાડના છીપવાડ દાણા બજારમાં છેલ્લા 2 દિવસથી રેલના પાણી દુકાનોમાં ભરાયેલા રહેતા 60 થી વધુ દુકાનમાં અનાજ સહિતનો સામાન બગડી ગયો હતો તેને કાઢવાની કામગીરી શરૂ થઇ હતી.
વલસાડમાં અચાનક પૂરના પાણી ફરી વળતા વેપારીઓને સામાન કાઢવાનો સમયજ મળ્યો ન હતો અને જોત જોતામાં દુકાનો પાણીમાં ગરકાવ થઈ જતા મોટું નુકસાન થયુ છે.
મોટાપાયે નુકશાન થતા વેપારીઓમાં હતાશા ફરી વળી હતી.
પુરના પાણી ઓસરતા કાદવ કીચડ અને બગડેલા અનાજની દુર્ગંધ આ વિસ્તારમાં જોવા મળી રહી છે.
ત્યારે હવે રોગચાળો ફેલાવાની શકયતા ઉભી થઇ છે.