ગુજરાતના માર્ગ મકાન દ્વારા વલસાડ પંથકમાં બ્રિજની હલકી ગુણવતા મામલે ત્રણ ઈજનેર સામે ફરજ મોકૂફીનો હુકમ થયો છે પરિણામે સબંધિત વર્તુળોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
આ ઓર્ડરમાં જણાવાયું છે કે નિલય બી.નાયક નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ -૨ સામે તેઓ જ્યારે અ.ઈ.શ્રી પંચાયત મા.મ. વિભાગ , વલસાડની કચેરી ખાતે મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે કન્સ્ટ્રકશન ઓફ માઇનોર બ્રિજ, પારડી પારનેરા વાંકી રીવર તાલુકો જિ . વલસાડના કામમાં કોક્રીટની નબળી ગુણવત્તા તથા માપપોથીમાં નોંધાયેલ માપોમાં વિસંગતતા જેવી ગંભીર પ્રકારની તથા દસ્તાવેજી ક્ષતિઓ મળી કુલ -૩૬ ક્ષતિઓ ધ્યાને આવેલ તથા સંભવિત નાણાંકિય નુક્શાની અંદાજિત રૂ .૮૭,૯૯,૮૭૯ / – થયેલ છે . સદર કામગીરી માટે જવાબદાર નિલય બી , નાયક નાયબ કાર્યપાલક ઇજનેર , વર્ગ -૨ દ્વારા આચરવામાં આવેલ ગંભીર બેદરકારી સંબંધમાં શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવાની બાબત વિચારણા હેઠળ છે. નિલય બી.નાયક , નાયબ કાર્યપાલક ઇજનેર , વર્ગ -૨ ને સક્રિય સેવામાં ચાલુ રાખવામાં આવે તો તેઓ તપાસમાં અડચણરુપ બને તેમજ પુરાવાઓ / સાક્ષીઓ સાથે ચેડા કરેકરાવે તેમજ તેમને આવી ગેરવર્તણૂક કે ગુનો ફરીથી કરવાની તક મળી રહે તેવી સંભાવના જણાતી હોઈ તેઓને સક્રીય સેવામાં ચાલુ રાખવા જાહેર વહીવટી હિતમાં યોગ્ય નથી . ૨- આથી , પ્રસ્તુત કામના જવાબદાર અધિકારી નિલય બી.નાયક નાયબ કાર્યપાલક ઈજનેર , વર્ગ -૨ . દ્વારા આચરવામાં આવેલ ગંભીર ગેરવર્તણૂંક સંબંધમાં ગુજરાત રાજ્ય સેવા ( શિસ્ત અને અપીલ ) નિયમો -૧૯૭૧ ના નિયમ – પ ( ૧ ) ( ક ) ની જોગવાઇ ધ્યાને લઇને શ્રી નિલય બી.નાયક , નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ -૨ ને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ ગણવાના આથી હુકમ કરવામાં આવે છે .
તેમજ અનિરુધ્ધ એમ.ચૌધરી , મદદનીશ ઇજનેર , વર્ગ -૨ સામે તેઓ જ્યારે અ.ઈ.શ્રી પંચાયત મા.મ. વિભાગ વલસાડની કચેરી ખાતે મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે કન્સ્ટ્રકશન ઓફ માઇનોર બ્રિજ, પારડી પારનેરા વાંકી રીવર તાલુકો જિ , વલસાડના કામમાં કોક્રીટની નબળી ગુણવત્તા તથા માપપોથીમાં નોંધાયેલ માપોમાં વિસંગતતા જેવી ગંભીર પ્રકારની તથા દસ્તાવેજી ક્ષતિઓ મળી કુલ -૩૬ ક્ષતિઓ ધ્યાને આવેલ તથા સંભવિત નાણાંકિય નુકશાની અંદાજિત રૂ .૮૭,૯૯,૮૭૯ / – થયેલ છે . સદર કામગીરી માટે જવાબદાર શ્રી અનિરુધ્ધ એમ.ચૌધરી , મદદનીશ ઇજનેર , વર્ગ -૨ દ્વારા આચરવામાં આવેલ ગંભીર બેદરકારી સંબંધમાં શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવાની બાબત વિચારણા હેઠળ છે.
અનિરુધ્ધ એમ.ચૌધરી , મદદનીશ ઇજનેર , વર્ગ -૨ ને સક્રિય સેવામાં ચાલુ રાખવામાં આવે તો તેઓ તપાસમાં અડચણરુપ બને તેમજ પુરાવાઓ સાક્ષીઓ સાથે ચેડા કરે / કરાવે તેમજ તેમને આવી ગેરવર્તણૂક કે ગુનો ફરીથી કરવાની તક મળી રહે તેવી સંભાવના જણાતી હોઈ તેઓને સક્રીય સેવામાં ચાલુ રાખવા જાહેર વહીવટી હિતમાં યોગ્ય નથી . ૨- આથી , પ્રસ્તુત કામના જવાબદાર અધિકારી અનિરુધ્ધ એમ.ચૌધરી , મદદનીશ ઈજનેર , વર્ગ -૨ દ્વારા આચરવામાં આવેલ ગંભીર ગેરવર્તણૂંક સંબંધમાં ગુજરાત રાજ્ય સેવા ( શિસ્ત અને અપીલ ) નિયમો -૧૯૭૧ ના નિયમ -૫ ( ૧ ) ( ક ) ની જોગવાઇ ધ્યાને લઇને શ્રી અનિરુધ્ધ એમ.ચૌધરી , મદદનીશ ઇજનેર, વર્ગ -૨ ને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ ગણવાના આથી હુકમ કરવામાં આવે છે .
જ્યારે ખુશ્બ જે . કથ્રેચા, મદદનીશ ઇજનેર, વર્ગ -૨ સામે તેઓ જ્યારે પંચાયત મા.મ. વિભાગ , વલસાડની કચેરી ખાતે મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે કન્સ્ટ્રક્શન ઓફ માઇનોર બ્રિજ એટ પારડી પારનેરા વાંકી રીવર તાલુકો જિ વલસાડના કામમાં કોક્રીટની નબળી ગુણવત્તા તથા માપપોથીમાં નોંધાયેલ માપોમાં વિસંગતતા જેવી ગંભીર પ્રકારની તથા દસ્તાવેજી ક્ષતિઓ મળી કુલ -૩૬ ક્ષતિઓ ધ્યાને આવેલ તથા સંભવિત નાણાંકિય નુક્શાની અંદાજિત રૂ.૮૭,૯૯,૮૭૯- થયેલ છે સદર કામગીરી માટે જવાબદાર ખુશ્બુ જે . કથ્રેચા , મદદનીશ ઇજનેર , વર્ગ -૨ દ્વારા આચરવામાં આવેલ ગંભીર બેદરકારી સંબંધમાં શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવાની બાબત વિચારણા હેઠળ છે. ખુશ્બુ જે . કથ્રેચા , મદદનીશ ઈજનેર , વર્ગ -૨ ને સક્રિય સેવામાં ચાલુ રાખવામાં આવે તો તેઓ તપાસમાં અડચણરુપ બને તેમજ પુરાવાઓ સાક્ષીઓ સાથે ચેડા કરે કરાવે તેમજ તેમને આવી ગેરવર્તણૂક કે ગુનો ફરીથી કરવાની તક મળી રહે તેવી સંભાવના જણાતી હોઈ તેઓને સક્રીય સેવામાં ચાલુ રાખવા જાહેર વહીવટી હિતમાં યોગ્ય નથી . ૨- આથી , પ્રસ્તુત કામના જવાબદાર અધિકારી સુધી ખુશ્બ જે . કટ્ટેચા , મદદનીશ ઇજનેર , વર્ગ -૨ દ્વારા આચરવામાં આવેલ ગંભીર ગેરવર્તણૂંક સંબંધમાં ગુજરાત રાજ્ય સેવા ( શિસ્ત અને અપીલ ) નિયમો -૧૯૭૧ ના નિયમ – પ ( ૧ ) ( ક ) ની જોગવાઇ ધ્યાને લઇને સુશ્રી ખુશ્બ જે . કથ્રેચા , મદદનીશ ઇજનેર , વર્ગ -૨ ને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ ગણવાના આથી હુકમ કરવામાં આવે છે .