વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં સતત ભારે વરસાદ ને લઈ વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આવેલી માન નદી બે કાંઠે વહી હતી ત્યારે માન નદી બે કાંઠે વહેતા સિંદૂમ્બર ગામના દુકાન ફળિયા અને ભતાડી ફળિયાને જોડતો કોઝવે બંધ થઈ જવા પામ્યો હતો.જેને લઈ શાળા એ થી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ અટવાયા હતા અને વિદ્યાર્થીઓ એ 10 થી 15 કિલોમીટર નો ચકરાવો કરવાનો વાળો આવ્યો હતો.
દર વર્ષે ઉપરવાસમાં પડતા ભારે વરસાદના કારણે આ કોઝવે ઉપર પાણી ફરી વળતા બંધ થઈ જવા પામતો હોય છે કોઝવે પર પાણી ફરી વળતા ગામ જનોએ 10 થી 15 કિલોમીટર નો ચક્રવો કરી જવા મજબુર બન્યા છે ત્યારે ગામ જનો દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા લોકો માં નારાજગી જોવા મળી હતી જિલ્લામાં વરસાદ ને કારણે 18 જેટલા રસ્તાઓ બંધ છે તો વહીવટી તંત્ર નદીઓની સપાટી પર સતત નજર રાખી બેઠું છે