• કોવિદ-૧૯ મેડીકલબૂથ :
તહેવાર બાદ નીચે મુજબના મેડીકલબુથ દ્વારા સ્વેચ્છિક તપાસ કરાવવા માંગતા લોકોનું સ્ક્રીનિંગતેમજ વેન્ડરોનુંએન્ટીજનટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહેલ છે અને તેને ચાલુ રાખવામાં આવશે.
ક્રમ તાલુકા બુથની સંખ્યા બુથનું સ્થળ
૧ વલસાડ ૩ રામવાડી, સહિદચોક, નવરંગ પાર્કિંગ
૨ પારડી ૧ પારડી-બજાર
૩ વાપી ૮ ડાભેલચેકપોસ્ટ, ઝંડાચોક, પીરમોરાલેક, અંબામાતા મંદિર-ગુંજન, ભડકમોરાચારરસ્તા, ચણોદ કોલોની-ગાર્ડન, લવાછાચેકપોસ્ટ, છીરી-બજાર
૪ ઉમરગામ ૪ ગ્રામપંચાયત-ભીલડ, બજારમાં મુખ્ય શાળા પાસે-સોળસુંબા, સ્કુલ પાસે –ઉમરગામ ટાઉન, બજાર-સરીગામ
૫ ધરમપુર ૧ જૂની એસ.એમ.એસ. સ્કુલ પાસે
૬ કપરાડા ૧ નાનાપોંઢા-ચારરસ્તા
• મોટી દુકાનો, શો-રૂમ કોવિદ-૧૯ ગાઈડલાઈનનું પાલન કરે તેની તકેદારી રાખવા જણાવવામાં આવેલ છે અને જેમાં કામકરતાકર્મચારીનું સ્ક્રીનિંગ અને રેન્ડમલીએન્ટીજન ટેસ્ટિંગ તેમજ સોશિયલડિસ્ટન્સજળવાઈ રહે તે માટે તાકીદ કરવામાં આવશે.
• તહેવારોબાદ ડાભેલ, વાઘલધરા,ભીલાડ,લવાછા, ચેક પોસ્ટ ઉપર મેડીકલ ટીમ દ્વારા સ્ક્રીનિંગ કામગીરી ચાલુ છે. જરૂર જણાયે એન્ટીજનટેસ્ટની કામગીરી કરવામાંઆવશે.
• જિલ્લા કક્ષાએથી કોવિદ રેપિડએક્શન ટીમ બનાવવામાં આવેલ છે. જેના દ્વારા બજાર વિસ્તારમાં કોવિદ-૧૯ ગાઈડલાઈન ભંગ બદલ દુકાન/મોલ/શોપિંગ સેન્ટર/હોટલ/ચા-નાસ્તાની લારી/શાકભાજીની લારી ના માલિકનેનોટીસ પાઠવવાની કામગીરી તહેવારો બાદ પણ ચાલુ રાખવામાં આવશે. સદરહું બાબતે કુલ ૧૦૭ વોર્નીંગ નોટીસ આપવામાં આવેલ છે.
• દરેક પ્રા.આ.કે અને સા.આ.કે. ખાતે કોવિદ-૧૯ માટે રેપિડએન્ટીજન અને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરવામાં આવી રહી છે.
• વલસાડ અને વાપી શહેરી વિસ્તારોમાં મોબાઈલ ટીમ દ્વારા કોવિડ અંતર્ગત કામગીરી કરવામાં આવશે.
• જે લોકો દિવસ દરમ્યાન નોકરી/ધંધા અર્થે ગામ બહાર જતા હોય તેઓ નિયમિત સર્વેની કામગીરીમાં મળતા નથી તેમને નાઈટ સર્વેની કામગીરી પણ ચાલુ છે.તાલુકાઓમાં આ નાઇટ સર્વેની કામગીરી તા.૧૯/૧૧/૨૦૨૦ થી શરૂ કરવામાં આવેલ છે.
• તિથલ, વિલ્સનહિલ, ઉમરગામ જેવા પ્રવાસન સ્થળો ખાતે આરોગ્ય, પંચાયત, પોલીસ ની સંયુક્ત ટીમ બનાવી બુથ પર તેમજ મોબાઈલ કામગીરી કરવામાં આવી રહેલ છે. જેમાં લોકોનું કોવિડ-૧૯ માટે સ્ક્રીનિંગ, જરૂર પડ્યેએન્ટીજનટેસ્ટ, આવા પ્રવાસન સ્થળોએ ઉભા કરેલ બુથ પર સ્ક્રીંનીંગ કરવામાં આવે છે અને માસ્ક વગર કોઇને પણ પ્રવેશ આપવામાં આવતો નથી.તેમજ રોજે રોજ માસ્ક ન પહેરનારને દંડ પણ કરવામાં આવી રહેલ છે.આવા પ્રવાસન સ્થળોએ આવતા વાહનો જેમા નિયત કરતા વધુ લોકો બેસાડવામાં આવેલ હોય તેના માટે આર.ટી.ઓ. દ્રારા ટીમોનું ગઠન કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.
• લાભ –પાંચમ પછી વતન ગયેલ અને પરત થનાર ફેકટરી વર્કરોનું સ્ક્રીનિંગ અને જરૂર પડ્યેએન્ટીજન ટેસ્ટિંગ કરવામાં આવશે.સદરહું બાબતે નકકી કરેલ એસ.ઓ.પી. મુજબ કાર્યવાહી થાય તે માટે ફેકટરી ઇન્સ્પેક્ટર, જી.આઇ.ડી.સી. નોટીફાઇડ એરીયા સાથે મળી કામગીરી શરૂ કરવામાં આવેલ છે.
• વલસાડ શેહેરમાં ૧૦ અને વાપી શહેરમાં દિવસ દરમ્યાન ૫ અને રાત્રે ૩ ધનવંતરી રથ દ્વારા કોવિડ અંતર્ગત કામગીરી કરવામાં આવશે.