પારસીઓના ઐતિહાસિક તીર્થંસ્થળ ઉદવાડા પારસી અગિયારી ખાતે સમાજના વડા દસ્તુરજીની ઉપસ્થિતીમા ઉદવાડાની અગિયારીમાં પતેતી પર્વની વિશેષ પૂજા અર્ચના કરી સમાજના લોકો એ એક બીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાતીઓ સાથે દૂધમાં સાંકળની જેમ ભળી જનાર આજે પારસીઓનો પતેતી તહેવાર છે.
વલસાડ નજીક ઉદવાડામાં આવેલા પારસીઓના સૌથી મોટા ધર્મ સ્થળ ખાતે દેશ-વિદેશમાં વસતા પારસીઓ પોતાના ઇસ્ટ દેવ પવિત્ર આશત બહેરામની પૂજા કરવા આવે છે.
પારસી કેલેન્ડર મુજબ વર્ષનો છેલ્લો દિવસ એટલે પતેતી કહેવાય છે.
પતેતી એટલે વર્ષ દરમિયાન કરેલા પાપના પ્રશ્ચાતાપ કરવાનો દિવસ.
આખા વર્ષ દરમ્યાન જાણે અજાણે કોઈ ભૂલ કરી હોય તો પ્રભુ પાસે આજે પૂજા કરી માફી માંગવામાં આવે છે અને પતેતી પછીનો બીજો દિવસ એટલે નવરોઝ.
જે પારસીઓના નવા વર્ષનો પ્રથમ દિવસ ગણાય છે આ દિવસે વડીલોના આર્શીવાદ લઈ પારસીઓ એકબીજાને નવરોજની શુભેચ્છાઓ પાઠવે છે.
પારસી સમાજના વડા દસ્તુરે પતેતી પર્વની સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.
વલસાડ જિલ્લામાં ઉદવાડા સહિત સજાણ નારગોલ તેમજ વલસાડમાં પારસીઓ દ્વારા નજીકમાં આવેલી અગિયારીમાં પણ પૂજા અર્ચના કરી હતી.