વલસાડ જિલ્લાના ઉપરવાસમા ભારે વરસાદના પગલે તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે વલસાડના ઔરંગા નદીનો વોટરવર્કસનો ડેમ ઓવરફ્લો થતા નદી બંને કાંઠે વહી હતી અને શહેરના નીચાણવાળા દાણા બજાર વિસ્તારમા પાણી ભરાયા હતા.જિલ્લા વહીવટી તંત્રએ વલસાડના અન્ય નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રેહવાની અપીલ કરી હતી. જિલ્લામા આજરોજ સવારના 6 કલાક થી સાંજના 4કલાક દરમ્યાન ધરમપુર અને કપરાડામા પાંચ,પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો.જયારે વલસાડ તાલુકામા ત્રણ અને પારડી તાલુકામા બે ઇંચ ઉપરાંત ઉંમરગામ અને વાપી તાલુકામા એક એક ઇંચ વરસાદ નોંધાયો હોવાના એહવાલ છે.
વલસાડ જિલ્લામા છેલ્લા ચાર દિવસ થી મેઘરાજાની ધમાકેદાર સવારીના પગલે સર્વત્ર પાણી પાણીના દ્રશ્યો સર્જાય રહ્યા છે જિલ્લામા મેઘરાજાના આગમનના પગલે ખેડૂત આલમ પણ ખેતીના વિવિધ પાકોની વાવેતરની કાર્યમા જોતરાયો છે. જિલ્લામા સતત વરસી રહેલા વરસાદના પગલે વાતાવરણ ઠન્ડુગાર બન્યું છે જિલ્લાના ફલ્ડ કન્ટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ આજરોજ દિવસ દરમ્યાન વલસાડ જિલ્લા ના વલસાડ તાલુકામા 77મી. મી, ધરમપુરમા 116મી મી, પારડીમા 48મી. મી, કપરાડામા 126મી. મી, ઉંમરગામમા 33મી. મી અને વાપીમા 30મી. મી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વીતેલા 24 કલાકમા વલસાડ મા 49 મી. મી, ધરમપુરમા 82 મી. મી, પારડીમા 57 મી. મી કપરાડામા 90 મી. મી ઉંમરગામમા 74 મી. મી અને વાપીમા 43 મી.મી વરસાદ નોંધાયો હતો.જિલ્લાના ઉપરવાસમા ભારે વરસાદના પગલે ઔરંગા નદી બંને કાંઠે વહેતી થયી હતી. વલસાડ અને નવસારી જિલ્લાના સરહદે આવેલા ખેરગામ નજીકના ગરગડિયા કોઝવે પાણી ગરકાવ થયો હોવાના એહવાલ છે વધુમા ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તારના લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વલસાડના અંડરપાસમાં પાણી ભરાયા છે.40 ગામને જોડતો છીપવાડ અંડરપાસમા કમારસમા પાણી ભરાઈ ગયા હતા.લોકોના વાહનો બંધ પડી જતાં સવારે નોકરિયાત વર્ગ પરેશાન જોવા મળ્યો હતો.ત્યારે મોક્ષ રથ પણ પાણીમાં ફસાઈ જતાં ટ્રેકટર વડે ખેંચી બહાર કાઢવા પડ્યો હતું.
વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ નગર પાલિકાનો વૉટર વર્કસ ડેમ ઓવર ફ્લો થયો છે.વલસાડ નગર પાલિકા વોટર વર્ક ડેમની ભયજનક સપાટી 7.72 મીટર છે ત્યારે ડેમ હાલ ભયજનક સપાટીથી નીચે વહી રહયો છે પરંતુ જિલ્લા જે રીતે હવામાન વિભાગ દ્રારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ જોવા મળ્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્રારા 36 અધિકારીઓની અલગ અલગ ટિમ બનાવવામાં આવી છે.જો પુરની સ્થિતિ સર્જાય અને કોઈ ફસાય તો તાત્કાલિક તમામ લોકોને રેસ્ક્યુ કરવા માટેની ટિમ તૈયાર કરવામાં આવી છે.સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર માટેની પણ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.
ત્યારે વલસાડ તાલુકાના વલસાડ જિલ્લા અને નવસારી જિલ્લાની બોર્ડ પર આવેલ વાઘલધરા ગામ થી પ્રસાર થતી ખરેરા નદીનો બ્રિજ ફરી વરસાદમાં પાણીમાં ડૂબી જતાં લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સમગ્ર વલસાડમાં આજે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખરેરા નદીનો કૉઝવે પાણીમાં ડૂબી ગયો છે. કોઝવે પરથી પુર ઝડપે પાણી વહી રહ્યું છે. તેમજ કોઝવે પર પાણીની સપાટી માપવા માટે લગાવેલ બોર્ડ ઉપરથી પાણી વહી રહ્યા છે.પાણીની સપાટી વધતા જ પોલીસ દ્વારા બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે અને વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. વલસાડ તાલુકા ખાતે હાલ તો ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે વરસાદમાં આ પુલ ડૂબી જતાં ગ્રામજનોએ 10 થી 15 કિલોમીટરનો ચક્રરાવો કરી જવા મજબૂર બન્યા છે આ બ્રિજ પરથી અંદાજે 15 જેટલા ગામના લોકો અવર જવર કરે છે ત્યારે આ બ્રિજ બંધ થતાં લોકોએ હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે ગામજનોએ વારંવાર આ કોઝવે બ્રિજ ઉંચો કરવા માટે રજુઆત કરવા છતાં તંત્ર દ્રારા આ બ્રિજ ન બનવવામાં આવતા આખું ચોમાસું ગામજનોએ ભારે હાલાકી વેઠવાની નોબત આવી છે.ત્યારે શંકરતાળવ ગામે આવેલ બામ ખાદી કોઝવે પર પાણી ફરી વળતા 5 ગામોને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જિલ્લામા 7 જેટલા વાહનવ્યવહાર ના માર્ગો બંધ કરવામાં આવ્યા હતા.