સામાન્ય રીતે કોઈ અકસ્માત સમયે 108 ની સેવા મનુષ્ય માટે વરદાનરૂપ સાબિત થાય છે અને ઈમરજન્સી સારવાર મળી શકતા જીવ બચી જાય છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લા ના કેટલાક દુર્ગમ વિસ્તારો કે જ્યાં 108 જઈ નહિ શકતા અહીં આ સેવા નો લાભ લોકો ને મળતો ન હતો કારણ કે અહીં નદી કિનારે અને ટેકરીઓ ઉપર વસતા લોકો નો મોટો સમૂહ વસે છે જ્યાં પાણી હોવાથી રોડ નથી અને રોડ સુધી જવા ખુબજ મોટું અંતર કાપવું પડે તેમ છે પરિણામે આવા વિસ્તારમાં જળ માર્ગે 108 જેવીજ તરતી ઈમરજન્સી ઍબ્યુલન્સ સેવા ચાલુ કરવામાં આવી છે જેનાથી હવે અહીં વસતા લોકો ઇમરજન્સી આરોગ્ય સુવિધા નો લાભ લઇ શકશે.
સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીથી કપરાડાના મધુબની ડેમ સુધી તરતી એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. જેના કારણે આ અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોને પણ હવે તાત્કાલી અને ખુબ ઝડપી રીતે મેડિકલ સારવાર મળી શકશે.
મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર એટલે કે દૂધની જળાશય અને દમણગંગા નદીના કારણે પહાડી વિસ્તારના અનેક ગામડાઓ શહેરથી વિખૂટા પડી જાય છે. આથી દૂધની જળાશયના સામેના કિનારે આવેલા ગામોમાં અકસ્માત કે અન્ય કોઈ મેડિકલ ઈમરજન્સી વખતે લોકોએ નજીકની હોસ્પિટલ સુધી પહોંચવા માટે રોડ માર્ગે 50 કિલોમીટર થી વધુ અંતર કાપવું પડી રહ્યું છે. જેમાં 2થી 3 કલાકનો સમય જતો રહે છે. ક્યારેક મોડું થતા દર્દીનું મૃત્યુ પણ થાય છે. તેવામાં ગરીબ આદીવાસીઓને સમયસર સારવાર મળી રહે અને તાત્કાલીક હોસ્પિટલ સુધી પહોંચી શકાય તે માટે તરતી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ સેવાથી લોકોને મિનિટોમાં હોસ્પિટલ તો પહોંચાડી શકાય જ છે. પરંતુ તેની સાથે-સાથે એમ્બ્યુલન્સમાં પણ આઈસીયુ જેવી સુવિધા મળી રહે છે.. જેથી કોઈપણનો જીવ બચાવી શકાય છે.
સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના 10થી વધુ ગામો આ પહાડી વિસ્તારોમાં આવેલા છે જ્યાં આ તરતી એમ્બ્યુલન્સ લોકો ને ઉપયોગી થઈ પડશે સાબિત થશે અને હવેથી નદી માર્ગે ખુબ ઝડપી રીતે આ વિસ્તાર લોકોને સારવાર મળી શકશે પરિણામે અહીં વસતા લોકો ના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે.
