વલસાડ જિલ્લા માં 48 કલાક માં 103 જેટલા કોરોના સંક્રમિત મૃતકો ની અંતિમવિધિ કરનાર આદિવાસી સમાજ ટ્રસ્ટના પ્રમુખ રમણ ભાઈ પટેલ ની ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં નોંધ લઈ તેઓ નું સન્માન કરી પ્રોત્સાહીત કરાયા હતા.
વલસાડ જિલ્લા માં કોરોના ની મહામારી વખતે ટપોટપ લોકો ના મોત થવાની ઘટનાઓ અને લાશો નો ઢગલો થઈ જતા લાશો ની અંતિમ ક્રિયા માં મુશ્કેલીઓ ઉભી થઇ હતી કારણ કે સ્મશાનોમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે રાખવામાં આવેલી ભઠ્ઠીઓ ઠંડી થાય તે પહેલાં સ્મશાન ખાતે લાશનો ઢગલો થઈ જતી હતી તે વખતે વલસાડ વહીવટી તંત્ર દ્વારા અતુલ પાર નદી કિનારે કોવિડ સ્મશાન ઉભું કરવામાં આવ્યું હતું અને તે વખતે વલસાડ આદિવાસી ટ્રસ્ટના પ્રમુખ રમણભાઇ પટેલે બીડું ઝડપી સેવાકીય કામગીરી હાથ ધરી હતી તેઓ એ કોરોના સંક્રમિત મૃતકોની તમામ લાશોની અંતિમ ક્રિયા કરવાની જવાબદારી ઉપાડી લીધી હતી અને વીતેલા વર્ષ માં 26 અને 27 એપ્રિલ દરમ્યાન 48 કલાકમાં 103 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓની લાશોની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. મહામારી સમયે વલસાડ આદિવાસી સમાજ ટ્રસ્ટના પ્રમુખ રમણભાઈ પટેલે ઉમદા કામગીરી કરવા બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવતા ઉમદા કામગીરી બદલ તેઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા. દિલ્હી ખાતે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ 2021 ના એક કાર્યક્રમમાં રમણભાઈ પટેલે કરેલી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા