વલસાડ ટાઉનમાં સત્યડે અખબારના પ્રેસમાં પાણી ભરાતા અંદાજે ₹ 6 લાખનું નુકશાન થયું છે અને અહીં પાણી ભરાવા માટે કુદરતી નહિ પણ માનવ સર્જિત ભૂલ હોવાનું સામે આવ્યું છે અહીં ચોમાસામાં પ્રિ મોન્સૂન દરમિયાન પાણી ભરાઈ જશે તો અન્યને નુકશાન જશે તે પોઇન્ટનો ભંગ થયો છે અને તે માટે જવાબદાર બિલ્ડર કે લાગતા વળગતા કોન્ટ્રાકટરે બુદ્ધિનું દેવાળું ફૂંકતા હવે પાણીના નિકાલને રોકનાર સામે તંત્ર ક્યારે પગલાં ભરે છે તે જોવાનું રહે છે.
વલસાડમાં પૂરના પાણી ભરાયા છે તેમાં કેટલીક જગ્યાએ પાણીનો ત્વરિત નિકાલ નહિ થવાથી પણ કેટલીક મિલ્કતોને નુકશાન થયાની વાત સામે આવી છે ત્યારે વલસાડ છીપવાડ જકાતનાકા નજીક હાઇવે પાર્ક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આવેલ સત્યડે ઓફસેટ પ્રેસમાં પાણી ભરાઈ જતા લગભગ રૂ.6 લાખનું નુકસાન થયું છે જેમાં પ્લેટ્સ,રોલ,અને મશીનરી પાણીમાં ડૂબી જતાં નકામી થઈ ગઈ છે અને દૈનિક અખબારનું પ્રકાશન અટકી પડ્યું છે,આ ઘટનાને પગલે જ્યારે સત્યડેના પત્રકારો સ્થળ ઉપર ગયા તો ચોંકી ઉઠ્યા હતા કારણકે અહીં પાણી ભરાવાનું કારણ કઈક બીજૂજ સામે આવ્યું હતું અહીં એક બિલ્ડર દ્વારા કન્ટ્રક્શન ચાલી રહ્યું હોય તેનો મોટો સામાન અહીં ચોમાસા દરમિયાન પણ ખડકી રાખ્યો હોવાથી પાણીનો નિકાલ નહિ થતા તે પાણી પ્રેસ જ્યાં છે તે બેઝમેન્ટ તરફ વળી જતા પાણી ભરાવાની ઘટના બની હોવાનું જણાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે ચોમાસુ નજીક હોય ત્યારે પ્રિ મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે અને તેનો મતલબ જ તે હોય છે કે અન્ય જાનમાલ કે મિલકતને નુકશાન ન થાય તેરીતે તૈયારીઓ કરવાની રહેતી હોય છે પણ ચોમાસુ હોવાછતાં અને પાણીના નિકાલની જગ્યા રોકી રાખતા બિલ્ડીંગ મરટીયલનો જથ્થો આ જગ્યાએ થી હઠાવવાની તસ્દી આ બિલ્ડર કમ કોન્ટ્રાકટર દ્વારા નહિ લેવાતા આ નુકશાન થયાનું સામે આવ્યું છે.
આ અંગે જ્યારે બેજવાબદાર કોન્ટ્રાકટરને ચોમાસામાં પાણીના નિકાલની જગ્યા રોકવા અંગે પૂછવામાં આવતા તેણે ઉડાઉ જવાબ આપ્યો હતો ત્યારે પાણીના વહેણને રોકી જનતાના માલ મિલકતને નુકસાન પહોંચાડનાર જવાબદાર બિલ્ડર સામે શુ પગલાં ભરે છે તેતો સમય જ કહેશે
સત્યડે દૈનિક અખબારનો પ્રેસ ડૂબી જતાં સત્યડે સિવાય છપાતા અન્ય બીજા નાનામોટા અનેક અખબારનું પ્રકાશન અટકી પડતા આ માટે જવાબદાર બિલ્ડર સામે પગલાં ભરવા માંગ ઉઠવા પામી છે.