વલસાડ માં કોરોના ની સ્થિતિ વકરી છે ત્યારે આજે ગુરુ પૂર્ણિમા દીને તિથલ સ્વામિનારાયણ મંદિરે ગુરૂપૂર્ણિમાની કોરોના ના નિયમો ને ધ્યાને લઇ સાદગી સાથે ઉજવણી શરૂ થઈ છે. હરિ ભક્તોને સ્વામિનારાયણ મંદિરે સરકારના તમામ નિર્ણયનું પાલન કરીને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ગુરૂના આશીર્વાદ મેળવી રહ્યા છે. હરિ ભક્તો સવારે 8થી 11 અને સાંજે 4થી 7 સુધી ભક્તો દર્શન ઠાકોરજીના અને ગુરૂના આશીર્વાદનો લાભ લઇ શકશે.
જોકે,અગાઉ દર વર્ષે ગુરૂપૂર્ણિમા પ્રસંગે સંતવાણી, ગુરૂ પૂજાના વગેરે ધામધૂમ થી ઉત્સવ ઉજવવામાં આવતા હતા પરંતુ ચાલુ વર્ષે કોરોના ની હાડ મારી વચ્ચે આ ઉત્સવ ની સાદગી થી ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું.
એટલુંજ નહિ સાંજે 5થી 7:30 ઓનલાઇન સંતવાણી હરિ ભક્તોએ સંતોના આશીર્વાદ મેળવવા જણાવવામાં આવ્યું છે.
ચાલુ વર્ષે દેશમાં અને વલસાડમાં વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને તમામ હરિ ભક્તોને ઘરે બેઠા ગુરૂ પૂજન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ઠાકોરજીના દર્શન અને ગુરૂ દર્શન માટે તિથલ સ્વામિનારાયણ મંદિરે હરિ ભક્તોને સરકારના તમામ નિયમોનું પાલન કરીને દર્શન માટે મંદિર ખુલ્લા મુકવામાં આવ્યા છે. તિથલ સ્વામિનારાયણ મંદિર સવારે 8થી 11 અને બપોરે 4થી 7 સુધી હરિ ભક્તોને દર્શન માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. તમામ હરિ ભક્તોએ સૅનેટાઇસ થઈને ફેસ માસ્ક પહેરીને અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ઠાકોરજીના અને સંતોના દર્શન કરી શકશે. સંતવાણી માટે સંસ્થાની વેબસાઈડ ઉપર સાંજે 5થી 7:30 ઓનલાઇન સંતવાણી હરિ ભક્તોએ સંતોના આશીર્વાદ મેળવવાના રહેશે.આમ ચાલુ વર્ષે ગુરૂ પૂર્ણિમા પ્રસંગે ની ઠેરઠેર સાદગી થી ઉજવવા નક્કી થયું છે અને ઓન લાઇન દર્શન ની ગોઠવણ કરવામાં આવી છે.
Saturday, May 11