વલસાડ માં અગસ્ત ક્રાંતિ ટ્રેન ને ઉઠલાવવા નું કાવતરું નિષ્ફળ રહેતા તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો.
વલસાડ ના અતુલ પાસે મોટી ટ્રેન દુર્ઘટના થતાં સહેજ માં રહી ગઈ હોવાનો ચોંકાવનારી ઘટના પ્રકાશ માં આવી છે.
કોઈ અજાણ્યા તત્વોએ રેલવે ટ્રેક પર સિમેન્ટનો પોલ મુકી દઇ અકસ્માત નો બાલીશ પ્રયાસ કર્યો હતો. અગસ્ત ક્રાંતિ ટ્રેન આવતા જ ટ્રેક ઉપર રહેલો આ પિલર ટ્રેનના એન્જિન સાથે અથડાઈ ફુરચા ઉડી ગયા હતા અને ટ્રેન સલામત રીતે ટ્રેક પરથી પસાર પણ થઇ ગઇ હતી.
જો કે ટ્રેનનું એન્જીન સિમેન્ટનાં થાંભલા સાથે ધડાકાભેર અથડાયુ હતું અને સિમેન્ટનો થાંભલો સાઈડ પર ફેંકાઈ ગયો હતો. જો કે ટ્રેન ડિરેઈલ થતા અટકી ગઈ હતી.
ઘટનાની જાણ અગસ્તક્રાંતિ ટ્રેનના ડ્રાઈવર દ્વારા રેલવે અધિકારીઓને કરવામાં આવતા ઘટનાસ્થળે રેલવેના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા.
વલસાડ જિલ્લા પોલીસ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડતો થઇ ગયો હતો અને એફ.એસ.એલ સહિત ડોગ સ્કવોડને બોલાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાલ આ મુદ્દે પોલીસે નજીકમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ શરૂ કરી છે.