વલસાડ શહેર નો વર્ષો જૂનો સાંકડા માર્ગો અને ટ્રાફિક તેમજ પાર્કિગના પ્રશ્ન ને અલવિદા કરવા તંત્ર સાબદુ બન્યું છે. આ બધા વચ્ચે જિલ્લા કલેક્ટરે આરએન્ડબી,પોલિસ તંત્રના અધિકારીઓ સાથે ચર્ચા કરી માર્જિનના દબાણોનું સ્વૈચ્છિક ડીમોલેશન કરાવવા અને જો ન કરે તો દિવાળી બાદ આવા દબાણો દૂર કરવા કડક કાર્યવાહી કરવા કલેકટરે આદેશ કર્યો હતો.
વિગતો મુજબ વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલ અને એસપી રાજદિપસિંહ ઝાલા તેમજ પાલિકા સીઓ વસાવા અને સિટી ઇજનેર હિતેશ પટેલ સહિત અધિકારીઓની બેઠક બોલાવી રોડ માર્જિનના દબાણોનું ડીમોલેશન કરવા ચર્ચાવિચારણા હાથ ધરી હતી.
એટલુંજ નહિ જયાં શોપિગ સેન્ટરમાં પાર્કિંગની સુવિધા છે, તેમણે વહેલી તકે વાહનો પાર્કિંગ કરી શકાય તેવી સગવડ કરવા, ખુલ્લા કરાયેલા પાર્કિગ પ્લોટમાં પાર્કિગની વ્યવસ્થા ઊભી કરવા જેવી બાબતો ના અમલ અંગે ચર્ચા કરાઈ હતી.
તિથલ રોડના નવિનીકરણમાં જે બાકી કામો છે તે પુરા કરવા સહિત સ્વૈચ્છિક સંસ્થાના સહયોગ મેળવી દિવાળી તહેવાર પહેલા પૂર્ણ કરી આ રોડ સુવિધા માટે ખુલ્લો મુકવા આરએન્ડબીના અધિકારીને સખ્ત તાકીદ કરવામાં આવી છે. આમ વલસાડ માં ત્રણ અધિકારીઓ એ નવા વલસાડ નું સપનું પૂરું કરવા તમામ મોરચે કામ સાંભળતા વલસાડ વાસીઓ આ ત્રિદેવ અવતાર ને મનોમન નમન કરી રહયા છે અને પ્રથમવાર જાણે વિકાસ થવા જઈ રહયો હોવાની અનુભૂતિ કરી રહ્યા છે.
Monday, April 29