વલસાડ પંથક માં આજે 26 મી જાન્યુઆરી ના રોજ આજે ભૂકંપના આંચકા આવતા લોકો માં ગભરાટ જોવા મળ્યો હતો.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે અને ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી 49 કિમી દૂર હોવાનું નોંધાયું છે. આજે બપોરે 12: 46 મિનિટે આ આંચકા અનુભવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 2001માં પણ 26 મી જાન્યુઆરી ના રોજ આજના જ દિવસે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપે તારાજી સર્જી હતી.
26મી જાન્યુઆરી 2001ના રોજ શુક્રવારના દિવસે સવારે 8.45ના વાગ્યે અચાનક ધરા ધ્રુજવા લાગી હતી. રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાના આ ભૂકંપના એક આંચકામાં હજારો ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી, જેમાં અંદાજે 20 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.કચ્છ માં સૌથી વધુ તારાજી આ ભૂકંપ ને લઈ થઈ હતી ત્યારે આટલા વર્ષ બાદ ફરી વલસાડ પંથક માં ભુકંપ ના હળવા આંચકા આવતા લોકો ના જીવ પડીકે બંધાયા હતા.