વલસાડ પંથક માં ખાણ ખનીજ વિભાગ ના નાક નીચે થી રેતી નો બે નંબરી કાળો કારોબાર પુરજોશ માં ચાલી રહ્યો છે અને મંજૂર કાયદેસર ના સ્ટોક કરતા બમણો કે તેથી વધુની માત્રામાં રેતી નો સ્ટોક કરી કોરોના માં પણ લાખ્ખો રૂપિયા કમાઈ રહ્યા છે જેનાથી સરકારી તિજોરી કરતા અંગત ફાયદો ઉઠાવવા માં આવી રહ્યા ની બૂમ ઉઠવા પામી છે.
વલસાડ માં કુંડી ફાટક થી લઈ પારડી સુધી ના એરિયા માં રેતી ના માફિયાઓ એ અડીંગો જમાવ્યો છે અને અહીં થી મોટા મોટા કન્ટેઈનર મુંબઈ તરફ જઈ રહ્યા છે. કારણ કે મુંબઈ મહારાષ્ટ્ર માં વધુ ભાવો મળતા હોવાનું કહેવાય છે.
ધોલાઈ બંદર અને બોડેલી થી આવતો રેતી નો જથ્થો અહીં સ્ટોક કરવામાં આવી રહ્યા ની વાત છે અને ત્યારબાદ પરમિશન હોય તેથી મર્યાદિત સ્ટોક કરતા વધુ જથ્થો મંગાવી તેનો મોટાપાયે વહીવટ કરવામાં આવી રહ્યો હોવાનું કહેવાય છે જોકે, આ ચાલી રહેલા ગેરકાયદે વહીવટ માં સ્થાનિક તંત્ર ને ખબર ન હોય તે વાત માની શકાય તેવી નથી પરંતુ તેઓ એ જાણે પોતાની આંખે પાટા બાંધી દીધા છે કારણ કે ગત વર્ષે પણ વલસાડ માં રેતી નો કાળો કારોબાર ભારે ગાજયો હતો તે અંગે વાત કરીએ તો રાજ્ય સરકારે નદીઓમાંથી રેતી કાઢવા પર પ્રતિબંધ મૂકી દીધો હોવાછતાં અને વલસાડ જિલ્લામાં તમામ લીઝધારકોની લીઝ રદ કરી દીધી હોવા છતાં વલસાડ ખાણ-ખનીજ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓના મેળાપીપણામાં ખનીજમાફિયાઓ બેખોફ થઇને નદીઓ તથા દરિયા કિનારેથી રેતીનું ખનન કરી રહ્યા હતા. આ ખનીજમાફિયાઓ બેફામ બનતા અખબારો માં જેતે વખતે મેટર છપાતા વલસાડ ખાણ-ખનીજ વિભાગે દેખાડા પુરતી કાર્યવાહી કરી હતી અને જેતે સમયે કલેકટરે લાલ આંખ કરતા જ ભીંસમાં આવી ગયેલ ખાણ અને ખનીજ વિભાગે રેતી મામલે લૂલો બચાવ કર્યો હતો. જે અંગે પણ સવાલો ઉઠતા મામલો નાનાપોંઢા પોલીસ સુધી પહોંચ્યો હતો. જે બાદ થોડો સમય માટે રેતીખનન પ્રવૃત્તિ બંધ થઇ ગઇ હતી પરંતુ મામલો શાંત પડી ગયો હોવાનું માનીને ખનીજમાફિયાઓ ફરી દમણગંગા નદીમાં ફરી સક્રિય થઇ ગયા હતા અને મોટી મશીનરી તથા હોડકા નદીમાં ખડકાઇ ગયા હોવાની વાત હતી, ખનીજમાફિયાઓ કોઇપણ પ્રકારની લીઝ કે પરવાનગી વગર ગેરકાયદેસર રીતે રોજેરોજ ૩૦થી ૫૦ ટ્રક જેટલી રેતીનું ખનન કરી ગુજરાત બહાર પરવાનગી વગર વગે કરવા માંડયા હોવાનું સામે આવ્યું હતું. આમ ગત વરસે પણ રેતી માફિયાઓ લાઈટ માં રહ્યા હતા.
એક અંદાજ મુજબ ગયા વર્ષ ના ભાવો ની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં ૩૦,૦૦૦ રૂા. પ્રતિ ટ્રક ઉપજતા હોવાને કારણે વલસાડ પંથક ના ખનીજમાફિયાઓનું રોજનું ટર્નઓવર આશરે ૩૦થી ૩૫ લાખ રૂા. હોવાનો અંદાજ હતો. સરકારી તિજોરીમાં એકપણ રૂપિયાની રોયલ્ટી ભર્યા વગર ચાલી રહેલા આ ગેરકાયદેસર વેપલાથી કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને જ લાભ થતો હોવા થઈ કોઇને પણ આ વેપલો બંધ કરાવવામાં રસ ન હોવાનું ગતવર્ષે રેતી વાળું પ્રકરણ ખુબજ ચાલ્યા બાદ રેતી નો ગુજરાત બહાર થતા વેપલા અંગે તપાસ કરવામાં આવે તો ભોપાળુ બહાર આવવાની શક્યતાઓ રહેલી હોવાનું સબંધિત સૂત્રો જણાવી રહ્યા છે.
Monday, April 29