ધરમપુર થી વલસાડ તરફ આવતા R&B ના માર્ગ પર તા.2 થી 21 જૂન એમ 20 દિવસ માટે તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
હાલ માં રેલવે બ્રીજની કામગીરી ચાલતી હોવાના કારણે રસ્તો બંધ કરાયો છે અને એક જાહેરનામું બહાર પાડી તંત્ર દ્વારા ડાયવર્ઝન રૂટ જાહેર કરવામા આવ્યા છે.
ધરમપુર તરફના છેડાથી વલસાડ આવતા-જતા તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત જાહેર કર્યો છે. આ માર્ગ બંધ થતાં ટ્રાફિક નિયમન અને કાયદો અને વ્યવસ્થાને લક્ષમાં રાખી ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. જે અનુસાર મુંબઇથી આવતા/ જતા વાહનોને નેશનલ હાઇવે 48 થી વલસાડ આવવા જવા માટે 1. અતુલ પારનેરા પારડી હનુમાન મંદિરથી એલ.સી. 96/97 થઇ મગોદ/ વશીયર થઇ સિવિલ રસ્તા થઇને, 2. નેશનલ હાઇવે 48 થઇને ગુંદલાવ ચોકડી બ્રીજના નીચે થઇ છીપવાડ અંડરબ્રીજ થઇને તેમજ 3. નેશનલ હાઇવે 48 થઇને કુંડી ફાટકથી દશેરા ટેકરી થઇને વલસાડ આવવા/ જવાનું રહેશે.
સુરતથી આવતા જતા વાહનો નેશનલ હાઇવે 48થી વલસાડ આવવા-જવા માટે 1. કુંડી ફાટકથી દશેરા ટેકરી થઇને વલસાડ તથા 2. નેશનલ હાઇવે 48 થઇને ગુંદલાવ ચોકડી બ્રીજના નીચે થઇ છીપવાડ ગરનાળા થઇને વલસાડ આવતા રસ્તાનો ઉપયોગ કરી શકાશે.
ધરમપુરથી વલસાડ આવતા જતા વાહનો 1. ધરમપુર ચોકડી થઇ નેશનલ હાઇવે 48 થઇને અનુલ ચોકડી બ્રીજના નીચે થઇ અતુલ પારનેરા પારડી હનુમાન મંદિરથી એલ.સી. 96/97 થઇ મગોદ/ વશીયર થઇ સિવિલ રસ્તા થઇને, 2. ધરમપુર ચોકડીથી નેશનલ હાઇવે 48 થઇને ગુંદલાવ ચોકડી બ્રીજના નીચે થઇ છીપવાડ અંડરબ્રીજ થઇને તેમજ 3. ધરમપુર ચોકડીથી નેશનલ હાઇવે 48 થઇને કુંડી ફાટકથી દશેરા ટેકરી થઇને વલસાડ આવન-જાવન કરી શકશે.
આ રેલવે બ્રીજનું કામ કરનારા કોન્ટ્રાક્ટર/ કંપની દ્વારા સ્થાનિક પોલીસના સંપર્કમાં રહી ડાયવર્ઝનવાળી જગ્યાએ તથા ડાયવર્ઝન રૂટ ઉપર ટ્રાફિકનું નિયમન કરવા સારુ જાહેર જનતાને અગવડ ન પડે તે માટે પર્યાપ્ત બંદોબસ્ત રાખવા અને સમયમર્યાદામાં નિયત કામગીરી પૂર્ણ કરવા પણ આ જાહેરનામા દ્વારા જણાવાયું છે.
મુંબઇથી આવતા જતા વાહનોને નેશનલ હાઇવથી વલસાડ આવવા જવા માટે અતુલ પારનેરા પારડી હનુમાન મંદિરથી એલ.સી. 96/97 થઇ મગોદ/ વશીયર થઇ સિવિલ રસ્તા થઇને, ૨. નેશનલ હાઇવે થઇને ગુંદલાવ ચોકડી બ્રીજના નીચે થઇ છીપવાડ અંડરબ્રીજ થઇને તેમજ હાઇવે થઇને કુંડી ફાટકથી દશેરા ટેકરી થઇને વલસાડ આવવા જવાનું રહેશે.
સુરતથી આવતા જતા વાહનો નેશનલ હાઇવેથી વલસાડ આવવા જવા માટે કુંડી ફાટકથી દશેરા ટેકરી થઇને વલસાડ તથા નેશનલ હાઇવે 48 થઇને ગુંદલાવ ચોકડી બ્રીજના નીચે થઇ છીપવાડ ગરનાળા થઇને વલસાડ આવતા રસ્તાનો ઉપયોગ કરી શકાશે.
આમ 20 દિવસ સુધી આ રીતે રૂટ નક્કી કરાયા છે.