વલસાડ જિલ્લામાં કોરોના કેસ સતત વધી રહયા છે અને 310 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ રહેલા એક નું મોત થઈ ગયુ છે .
વલસાડ માં હાલ ગંભીર દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં 21 દર્દીઓ ઓક્સિજન ઉપર છે જ્યારે
બાયપેપ ઉપર 2 અને વેન્ટિલેટર ઉપર 2 દર્દીઓ હોવાનું સૂત્રો એ જણાવ્યું હતુ.
વલસાડ માં સતત નવા કેસોનો ઉમેરો થઈ રહ્યો છે. સોમવારે પણ 340 જેટલા નવા કેસો સામે આવ્યા હતા. જેમાં 1થી 10 વર્ષના 9 બાળકો સહિત તમાય વયના તરૂણો, યુવાનો, વૃદ્ધો, મહિલાઓનો સમાવેશ થાય છે.
જિલ્લા માં વધી રહેલા કોરોના ના કેસ ને ધ્યાને લઇ વલસાડ ના પારડી સીએસસી ખાતે 25 જેટલા બેડ ઉપર દર્દી ને ઓક્સિજન મળી રહે એવા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યુ છે.
વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવ્યા બાદ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. જિલ્લામાં ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે વલસાડ જિલ્લામાં 340 નવા કોરોના સંક્રમિત કેસ સામે આવ્યાં છે. જેના કારણે વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 1749 પર પહોંચી ચુક્યો છે.