વલસાડમાં 1980માં બનેલા 120 આવાસ અત્યંત જર્જરિત બની ગયા છે અને ગમેત્યારે પડે તેવી સ્થિતિ વચ્ચે હાલ ચોમાસાની ઋતુમાં 67 નંબર ના ફ્લેટમાં સ્લેબ તૂટી પડવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ભારે વરસાદ ના કારણે 67 નંબર ના ફેલટમાં પાછળ ની બાલ્કની નો સ્લેબ તૂટ્યો હોવાના અહેવાલ છે.
જોકે,સદનસીબે આ ઘટના માં કોઈ પ્રકાર ની જાનહાનિ થવા પામી નથી.
મહત્વનું છે કે વારંવાર 120 આવાસ માં સ્લેબ તૂટવાના બનાવો બની રહ્યા છે.
વલસાડમાં મધ્ય ભાગે આવેલી જૂની શાકભાજી માર્કેટ અને બે માળના 120 આવાસ (રૂમો)નું 35 વર્ષ અગાઉ બાંધકામ કરવામાં આવ્યું હતું.સમય જતાં આ શાકભાજી માર્કેટ અને આવાસોના બંન્ને માળ જર્જરિત થતું રહ્યું છે અને અગાઉ પણ અનેકવાર આવાસના ઉપરની પાળીઓ તૂટી પડવાના બનાવો બની ચુક્યા છે.
સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.આ આવાસોના નીચેના ભાગે આવેલી શાકભાજી માર્કેટ અને દૂકાનોમાં આવતા ગ્રાહકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.અગાઉ પાલિકા તંત્ર દ્વારા નોટિસો આપીને રૂમો ખાલી કરવા આદેશ કર્યા હતા.જેમાં મોટાભાગના આવાસો ખાલી કરીને રહીશો ચાલી ગયા હતા.
જ્યારે કેટલાક રૂમોમાં હજી વસવાટ કરવામાં આવી રહ્યો છે.આ શાકભાજી માર્કેટ અને આવાસોનું બાંધકામ અત્યંત જર્જરિત થઇ જતાં ચોમાસામાં જોખમ ઉભું થયું છે.