વલસાડમાં શ્રી તડકેશ્વર મહાદેવજી મંદિર ખાતે ભરાયેલા મેળા અને દર્શન માટે સુરતના કિમ થી શ્રાવણ માસ અંતર્ગત આવેલી બસના ચાલકે બસ રીવર્સમાં લેતા સર્જાયેલા વીજપોલ સાથે ટક્કર થતા સર્જાયેલ અકસ્માતમાં ચાર વીજપોલ જમીનદોસ્ત થતા ભારે અફરા તફરી મચી ગઇ હતી.
સુરતથી શિવ ભક્તો માટે નજીકમાં આવેલા શિવાલયોના દર્શન કરવા લકઝરી બસમાં એક ટુર સંચાલિકા દ્વારા ટુરનું આયોજન કર્યું હતું.
જેમાં વલસાડમાં શ્રી તડકેશ્વર મંદિરે શિવ ભક્તો સાથે બસ આવી પહોંચી હતી.
અહીં મેળો પણ ભરાયો હતો દરમિયાન લકઝરી બસના ચાલકે લકઝરી બસ રિવર્સ લેવા જતા વીજ પોલ સાથે ટકરાઈ જતા એક સાથે 4 વીજ પોલ તૂટી ગયા હતા.
તડકેશ્વર મંદિરના કમ્પાઉન્ડ ભરાતા મેળામાં આ ઘટના બનતા અને વીજ પ્રવાહ ડુલ થતા લોકોમાં દોડધામ મચી હતી. મેળા ના આયોજકોએ અને સ્થાનિક લોકોએ બસ અટકાવી હંગામો મચાવતા વલસાડ સીટી પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો.
સુરતના કિમ થી એક મહિલા ટુર આયોજકે શ્રાવણ માસના છેલ્લા દિવસે આજુબાજુના વિસ્તારોમાં આવેલા 11 શિવાલયનો પ્રવાસનું આયોજન કર્યું હતું. કિમથી એક લકઝરી બસ બસ નંબર GJ-14-Z-9400 લઈને શિવરાત્રીના છેલ્લા દિવસે આજુબાજુમાં આવેલા શિવાલય ખાતે દર્શન કરવા નીકળ્યા હતા. વલસાડના તડકેશ્વર મંદિરના પટાંગણમાં બસને રિવર્સ લેવા જતાં, એક પોલ સાથે બસ ટકરાતા એક સાથે ચાર વીજ પોલ ધરાશાય થયા હતા. તડકેશ્વર મંદિર પાસે ભરાતા મેળામાં દોડધામ મચી ગઈ હતી. વીજ પોલ પડતા સદ નસીબે કોઈ જાનહાની કે અન્ય કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિક લોકો અને મેળાના સ્ટોલ ધારકોએ બસને અટકાવી હંગામા મચાવ્યો હતો. વીજ પોલ પડતાં ની સાથે તડકેશ્વર મંદિર અને આજુબાજુના વિસ્તારનો વીજ પ્રવાહ ખોવાયો હતો. ઘટનાની જાણ વીજ કંપનીના કર્મચારીઓ અને સીટી પોલીસને થતા વલસાડ સીટી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. જ્યારે વીજ કંપનીના કર્મચારીઓ ખોરવાયેલો વીજ પુરવઠો કાર્યરત કરવા કામે લાગ્યા હતા. જોકે ઘટના બનતા સ્થાનિકો દ્વારા મંદિર ના ટ્રસ્ટીમંડળ ને જાણ કરવામાં આવી હતી બાદમાં લોકોએ હોબાળો મચાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.