મધ દરિયે બોટમાં યાંત્રિક ક્ષતિ ઉભી થતા મોટમાં 13 ખલાસીઓ મદદની પોકાર લગાવી
ઘટનાની જાણ દમણ કોસ્ટગાર્ડની ટીમને થતા દમણ કોસ્ટગાડે તાત્કાલિક રેસ્ક્યુ હાથ ધર્યું
નવસારી જિલ્લાના ક્રિષ્નાપુરની તુલસીદેવી બોટમાં મુંબઈ માછીમારી કરવા જતાં હતાં. વલસાડ દરિયા કિનારે 13 નોટિકલ માઈલમાં 13 ખલાસીઓ સાથે બોટ મધ દરિયે ફસાઈ હતી. જેને લઈને બોટ માલિકે સુરત કન્ટ્રોલ રૂમનો સંપર્ક થતા દમણ કોસ્ટગાર્ડની ટીમે 13 નોટિકલ માઈલ ઉપર મધ દરીએ ફસાયેલી બોટમાં ફસાયેલા 13 માછીમારોનું દિલધડક રેસ્ક્યુ કરીને માછીમારોને બચાવની કામગીરી દમણ કોસ્ટગાર્ડ દ્વારા કરવા આવી હતી.
વલસાડ જિલ્લાની બાજુમાં આવેલ નવસારી જિલ્લાના કૃષ્નાપુરની તુલસી દેવી નામની બોટમાં 13 ખલાસીઓ સાથે મુંબઇ માછીમારી કરવા જતી બોટમાં યાંત્રિક ક્ષતિ સર્જતાં બોટ વલસાડના દરિયા કિનારે 13 નોટિકલ માઈલ અંદર ફસાઈ ગઈ હતી. બોટનું એન્જીન બંધ થતાં મધ દરિયે ફસાઈ ગઈ હતી. બોટ સંચાલકે વાયરલેસની મદદ વડે સુરત કન્ટ્રોલ રૂમ પાસે મદદની પોકાર લગાવી હતી. સુરત કન્ટ્રોલ રૂમની ટીમે દમણ કોસ્ટગાર્ડની મદદ વડે વલસાડના દરિયા કિનારે 13 નોટિકલ માઈલ મધ દરિયે ફસાયેલી બોટનું રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. નવસારી જિલ્લાની તુલસી દેવી બોટમાં ફસાયેલા 13 ખલાસીઓનું દમણ કોસ્ટગાર્ડની ટીમે દિલધડક રેસ્ક્યુ કરી દમણ કોસ્ટગાર્ડ કન્ટ્રોલ રૂમ ખાતે ખલાસીઓને રેસ્ક્યુ કરી કબસેડવામાં આવ્યા હતા.