વલસાડ જિલ્લામાં (Valsad District) મંગળવારે કોરોનાના માત્ર 3 કેસ નોંધાયા હતાં. જ્યારે 13 દર્દીઓને રજા આપવામાં આવી હતી. જોકે આજે કોઈ મોત નોંધાયુ ન હતું. જિલ્લામાં અત્યાર સુધી કુલ 1110 કેસ નોંધાયા છે, જે પૈકી 931 ને રજા આપી દેવામાં આવી છે અને 55 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી કોરોનાના કુલ 13868 ટેસ્ટ કર્યા છે, જે પેકી 12758 નેગેટિવ (Negative) અને 1110 પોઝિટિવ કેસ નોંધાયા છે. વલસાડ તાલુકામાં અત્યાર સુધી 375 કેસ નોંધાયા છે, જે પેકી 302 લોકો સાજા થયા છે અને 33 સારવાર હેઠળ છે. તો કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોસર 41 મોત નોંધાયા છે. એ જ રીતે વાપી તાલુકામાં અત્યાર સુધી 371 કેસ નોંધાયા છે, જેમાં 320 લોકો સાજા થયા છે અને માત્ર 2 લોકો સારવાર હેઠળ છે. વાપીમાં કોરોનાથી 4 અને કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોસર 45 મોત આરોગ્ય વિભાગમાં (Health Department) નોંધાયા છે. આજે નવા નોંધાયેલા કેસમાં વલસાડ તાલુકામાં ઉટડી ઘાચિવાડના 70 વર્ષના વૃદ્ધ, વલસાડ તિથલ રોડ ધન લક્ષ્મીના 37 વર્ષના પુરુષ અને અંધિયાવાડ જુના કોસંબાના 32 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે.
જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કેસ
વલસાડ 375, વાપી 371, પારડી 158, ઉમરગામ 109, કપરાડા 61, ધરમપુર 36
ચીખલી તાલુકામાં વધુ બે કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી કામગીરી હાથ ધરાઈ હતી. ટાંકલના રૈટકૂવામાં 31 વર્ષીય મહિલા અને ચીખલીના ગાયત્રી નગર સોસાયટીનો 32 વર્ષીય યુવાન કોરોનાથી સંક્રમિત થતા હોમ કવોરન્ટાન કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. વધુમાં કોરોનાની ઝપેટમાં થોડા દિવસ પૂર્વે આવેલા તાલુકાના આરોગ્ય અધિકારીને તકલીફ વધતા સુરત ખસેડાયા છે.