ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વિરુધ્ધ વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા હોબાળો મચવા પામ્યો હતો. જીજ્ઞેશ મેવાણીએ વલસાડની આર એમ વીએમ શાળાને બદનામ કરવા માટે એક ખોટું ટ્વિટ કર્યું હતું, જેના વિરોધમાં શાળાના આચાર્ય દ્વારા જીજ્ઞેશ વિરુદ્ધ ફરીયાદ નોંધાય છે.
મળતી માહિતી પ્રમાણે વલસાડની આ શાળામાં સ્કુલના વિદ્યાર્થીને માર મારતા વાયરલ થયેલા વિડીયો પર ટ્વિટ કરીને જીજ્ઞેશ મેવાણીએ શાળાને બદનામ કરી હતી. તેમણે ટ્વિટ કરીને શાળા અંગે પીએમઓ પાસે ખુલાસા માંગ્યા હતા,જેના કારણે વિવાદ સર્જાયો હતો. વિવાદ વધતા ધારાસભ્યો દ્વારા આ ટ્વિટ હટાવી દેવામાં આવ્યું હતું.