valsad: વલસાડ શહેર ઈદગાહ કમિટીની મિટિંગ મોટા તાઇવાડ ઉંમર ફળીયા મસ્જિદમાં શહેર કાઝી અને સિનિયર એડવોકેટ સદરુદ્દીન નુરુદ્દીન કાઝીના અધ્યક્ષ પણા હેઠળ મળી હતી. જેમાં ઈદગાહ કમિટીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઈદ ની નમાઝ ઈદગાહ માં સવારે ૭..૩૦ કલાકે થશે નું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું.
નમાઝ જનાબ મુફ્તી જુનેદ ઝરીવાલા પઢાવશે. આ કમીટીમાં સેક્રેટરી અને માજી કાઉન્સિલર, જાહિદ દરિયાઈ, ઇમ્તિયાઝ કાઝી ઝાકીર પઠાણ, આસીમ હાસમાની, આકીબ મલેક, યુસુફ ઝરીવાલા, લતીફ શેખ, અઝીઝ કાઝી, મુબારક કદમ, યાસીન લોર્ગત, મૌલાના મિસબાહ, મોહસીન તાઈ, શેખર ગણદેવીયા વિગેરે મોટી સંખ્યામાં શહેર ના વિવિધ વિસ્તાર માથી આગેવાનો ઉપસ્થિત રહ્યાનું પ્રમુખ સદરુદ્દીન કાઝીએ જણાવ્યું હતું.