વલસાડ : આજ રોજ બીજી ઓક્ટોબર પરમ પૂજ્ય આઝાદી ના લડવૈયા મહાત્મા ગાંધી ના જન્મ દિન ની સમગ્ર દેશ માં ભારે ઉત્સાહ પૂર્વક બાપુ ની જન્મ જ્યંતી ની ઉજવણી થઈ રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નું સ્વપ્નું સ્વચ્છ ભારત ની નેમ સાથે તમામ સરકારી કચેરીઓ,શાળાઓ, જાહેર રસ્તા ઓ, રેલવે સ્ટેશન-પોલીસ મથકો તથા ગામડાઓ માં સરકારી ઓફિસો, ગામપંચાયત ખાતે સ્વચ્છતા અભિયાનો ચાલી રહ્યા છે જેના પગલે ભારત દેશ દુનિયા ની અંદર સ્વચ્છતા ની મિશાલ પુરી પાડી શકે પરંતુ અહીં વલસાડ ની સરકારી બિલ્ડીંગ માં આવેલ ઓફિસો ના અધિકારી ને જાણે દેશ સ્વચ્છ કરવા પાછળ રસ હોય પરંતુ પોતાનીજ ઓફિસ બહાર સુ થઈ રહ્યું હોય તેમ ખુલી આંખે ગંદકી ને આવકારો આપી રહ્યા હોય તેવું પ્રતીક થઈ રહ્યું છે વાત છે.
વલસાડ ની જૂની બહુમાળી ઓફિસ મકાન કે જ્યાં પેહલા જૂની કલેકટર ઓફિસો આવી હતી પરંતુ હાલ નવી કલેકટર ઓફિસ મકાન બની ગયી હોય જેથી આ ઓફિસ મકાનો માં જિલ્લા શિક્ષણ અધિકારી ની પાંચમા માળે ઓફિસ આવી છે જ્યાં એન્ટર થતાંજ ભારે દુર્ગંધ સ્વાગત કરતું હોય તેમ ઓફિસ બહાર ની બેઠક પર પાન-તંબાકૂ ની પિચકારી, અતિશય દુર્ગંધ મારતી બેસવાની બાંકડા ની હાલત, પીવાના પાણી માટે મુકેલ વોર્સ બેસીન ની અંદર ગંદકી,બાથરૂમ માં લીકેજ મારતું પાણી નું નળ, જાણે કોઈ કચરાપેટી માં આ ઓફિસો આવી હોય તેવું દેખાય આવે છે ત્યારે જિલ્લા કલેકટર સાહેબ જરા આ તરફ ધ્યાન આપી વડા પ્રધાન શ્રી અને પૂજ્ય બાપુ ના સ્વપ્ન સ્વચ્છ ભારત ને ધ્યાને લઇ આવા અધિકારી ઓને પણ સ્વચ્છતા ના પાથ શીખવી આ બેદરકારી દૂર કરી સ્વચ્છતા જળવા સૂચન આપે તેવી માંગ ઉઠી છે.