રાજકોટનું ઉદાહરણ લઈ અધિકારીઓ હિંમત કરે
વલસાડ પંથક માં નજીક બેફામ માટીચોરી કરનારા તત્વો બેફામ બની ગયા છે અને કોઇ ફિલ્મી વિલન ની જેમ વગ અને ધાક બતાવી કાયદા ની ઐસીતૈસી કરીને હાલ માં પુરજોશ માં માટીની તસ્કરી કરી રહ્યા છે તેમ છતાં આવા તત્વોને રોકવા માટે તંત્ર નમાલુ સાબિત થઈ રહ્યું છે.
પાલણ ગામ માં છેલ્લા કેટલાય દિવસો સુધી વર્ક ઓર્ડર ની મુદ્દત વીતી ગયા પછીપણ ગેર કાયદે માટી ઉલેચી રહેલી માથાભારે ટોળકી એ સરકારી તિજોરી ને કેટલો ચુનો લગાવ્યો છે તેનો હિસાબ કરી પૈસા વસુલ કરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે પાલણ ગામ ના સરપંચે જે માહિતી આપી તે ચોકવનારી છે તેઓ એ સત્ય મીડિયા ના કેમેરા સામે કબુલ્યું છે કે મુદ્દત પુરી થઈ ગઈ હોવા છતાં આ માથાભારે ઈસમો માટી ઉલેચી રહ્યા છે જેઓ પોતાને ગણકારતા નહિ હોવાનું જણાવ્યું હતું આ વાત જ અત્યન્ત ગંભીર છે તેથી અંદાજ લગાવી શકાય કે માટીચોરી કરનારાઓ નું ક્યાંક ને ક્યાંક ઉપર સેટિંગ હોવાનું જણાય આવે છે અને આ પ્રકરણ માં ફોજદારી ગુનો પણ બની શકે છે અને તપાસ થાય તો સરકારી અધિકારી સામેલ હોય તો તે પણ ઘર ભેગો થઈ શકે તેમ છે ત્યારે વલસાડ ના પાલણ માં માટીચોરી ના ગંભીર પ્રકરણમાં તપાસ જરૂરી બની છે.
આવુજ કઈક રાજકોટમાં ચાલતું હતું અને ત્યાં પણ માથાભારે તત્વો બેફામ બન્યા હતા પરંતુ ત્યાંની RR સેલ ની જાંબાઝ ટીમે દરોડો પાડી માથા ફરેલા તત્વો ની જાહેર માં હેકડી કાઢી નાખી તેમના અઢી કરોડ ના વાહનો જપ્ત કરી લઈ રૂપિયા 14 કરોડ 42 લાખ ની ખનીજ ચોરી ની પોલ ખોલી નાખી ઈમાનદાર ઓફીસરો એ પોતાની ફરજ નું પ્રમાણ રજૂ કર્યું હતું ત્યારે સવાલ એ થાય છે કે વલસાડ માં તંત્ર ને આવા બેફામ રીતે માટી ચોરી નું જાહેર માં કૌભાંડ ચલાવતા તત્વો ને કોણ છાવરી રહ્યું છે જે એક્શન રાજકોટ નું તંત્ર લઈ શકતું હોય તે જ પગલાં ભરવામાં વલસાડ નું તંત્ર કેમ ચૂપ છે તે તપાસ નો વિષય છે ત્યારે જનતા માં આ વાત ભારે ચર્ચાનો વિષય બની છે અને વલસાડ ના વહીવટી વિભાગ ની આબરૂ દાવ ઉપર લાગી ગઈ છે.