માહિતી બ્યુરો : વલસાડઃ તા. ૦૭: વલસાડના મોરારજી દેસાઇ ઓડિટોરીયમ ખાતે જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા સાયન્સ અને કોમર્સ બન્ને પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૯/૨/૨૦૨૦ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યાથી શરૂ થનાર આ સેમિનારમાં બોર્ડની પરીક્ષા પરીક્ષા સફળતાપૂર્વક આપી શકે તે માટે શિક્ષણ તજજ્ઞો સેન્ટ જોસેફ ઇ.ટી. સ્કૂલના જશબીન શેખ, શાહ એન.એચ. કોમર્સ કૉલેજના પ્રો. ચિરાગ રાણા તેમજ ટયુશન સંચાલક આરીફ ખાન દ્વારા ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમિનારમાં સમાજના વિદ્યાર્થીઓએ તેમના વાલી સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. આ અંગે વધુ જાણકારી માટે ઝાહીદભાઇના મો.નં.૯૮૨૪૭૯૬૨૩૦ ઉપર સંપર્ક સાધી શકાશે.