Valsad: વલસાડ નગરપાલિકા દ્વારા સંચાલિત અને હવે જમીનદોસ્ત કરવામાં આવેલી શાકમાર્કેટ એટલે કે શ્રી મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ એન્ડ શોપિંગ સેન્ટર ને નવી બિલ્ડીંગ બનાવવા માટે વલસાડ નગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ માં નગર વિકાસ શ્રીનિધી યોજના હેઠળ તારીખ ૩૦/૧૨/૨૦૨૩ નાં રોજ ૧૮ કરોડ ૫૭ લાખ ૧૪ હજાર ૪૪૬ રૂપિયા ની લોન ની દરખાસ્ત કરી છે. જે અંગે કોઈ પણ પ્રકારનો અતોપતો ના લાગતાં શ્રી મોરારજી દેસાઈ શોપિંગ સેન્ટર ના પ્રમુખ અને અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠન નાં પ્રદેશ ઉપપ્રમુખ વિજય ગોયલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈ ને પત્ર લખીને એ રકમ વલસાડના વિસ્તૃત હિતોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી મંજૂર કરવા માંગણી કરી છે. જ્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવેલ છે.
ભારત રત્નથી સન્માનિત પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ નાં નામે ૧૯૮૧-૮૨ માં વલસાડ નગરપાલિકા દ્વારા નિર્મિત શ્રી મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ એન્ડ શોપિંગ સેન્ટર ની બિલ્ડીંગ બનાવવામાં આવી હતી જેને માવજત ન થતા બિલ્ડીંગ જર્જરિત થઈ જવા પામી હતી જેને ગત વર્ષે જમીનદોસ્ત કરવામાં આવી હતી. વિજય ગોયલે જણાવ્યું છે કે નગરપાલિકાએ પહેલા નકશાની બાબતમાં ગોકળગાયની ગતિએ કામ કરેલ હતું જે અંગે વલસાડ કલેકટરના માધ્યમથી રાજ્ય ના મુખ્યમંત્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને હવે બિલ્ડીંગ બાંધવા માટે ની લોન મંજુર કરાવવામાં નગરપાલિકા નિષ્ફળ ગઈ છે ત્યારે વિજય ગોયલે રાજ્યના મુખ્યમંત્રી અને નાણામંત્રીને જણાવ્યું છે કે સમયસર બિલ્ડીંગનું નિર્માણ થવાના કારણે વેપારીઓ લારી- પાથરણાવાળાઓની ધંધા વગર તથા ધંધો ઓછો થવાને કારણે હાલત કફોડી બની ગઈ છે જેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને લોન મંજુર કરવા માટે જરૂરી આદેશો આપવા વિનંતી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ એન્ડ શોપિંગ સેન્ટર ત્રણ ભાગમાં વહેંચાયેલી છે ૧) વેજીટેબલ માર્કેટ – અંદરના ભાગે ૨) શોપિંગ સેન્ટર બહારની સાઈડ હે આવેલ ૬૦ દુકાનો ૩) પહેલા અને બીજા માળે આવેલા ૧૨૦ આવાસો છે.
વલસાડ નગરપાલિકા દ્વારા સંચાલિત અને હવે જમીનદોસ્ત કરવામાં આવેલી શાકમાર્કેટ એટલે કે શ્રી મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ એન્ડ શોપિંગ સેન્ટર ને નવી બિલ્ડીંગ બનાવવા માટે વલસાડ નગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ માં નગર વિકાસ શ્રીનિધી યોજના હેઠળ તારીખ ૩૦/૧૨/૨૦૨૩ નાં રોજ ૧૮ કરોડ ૫૭ લાખ ૧૪ હજાર ૪૪૬ રૂપિયા ની લોન ની દરખાસ્ત કરી છે. જે અંગે કોઈ પણ પ્રકારનો અતોપતો ના લાગતાં શ્રી મોરારજી દેસાઈ શોપિંગ સેન્ટર ના પ્રમુખ અને અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠન નાં પ્રદેશ ઉપપ્રમુખ વિજય ગોયલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈ ને પત્ર લખીને એ રકમ વલસાડના વિસ્તૃત હિતોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી મંજૂર કરવા માંગણી કરી છે. જ્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવેલ છે.
ભારત રત્નથી સન્માનિત પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ નાં નામે ૧૯૮૧-૮૨ માં વલસાડ નગરપાલિકા દ્વારા નિર્મિત શ્રી મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ એન્ડ શોપિંગ સેન્ટર ની બિલ્ડીંગ બનાવવામાં આવી હતી જેને માવજત ન થતા બિલ્ડીંગ જર્જરિત થઈ જવા પામી હતી જેને ગત વર્ષે જમીનદોસ્ત કરવામાં આવી હતી. વિજય ગોયલે જણાવ્યું છે કે નગરપાલિકાએ પહેલા નકશાની બાબતમાં ગોકળગાયની ગતિએ કામ કરેલ હતું જે અંગે વલસાડ કલેકટરના માધ્યમથી રાજ્ય ના મુખ્યમંત્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને હવે બિલ્ડીંગ બાંધવા માટે ની લોન મંજુર કરાવવામાં નગરપાલિકા નિષ્ફળ ગઈ છે ત્યારે વિજય ગોયલે રાજ્યના મુખ્યમંત્રી અને નાણામંત્રીને જણાવ્યું છે કે સમયસર બિલ્ડીંગનું નિર્માણ થવાના કારણે વેપારીઓ લારી- પાથરણાવાળાઓની ધંધા વગર તથા ધંધો ઓછો થવાને કારણે હાલત કફોડી બની ગઈ છે જેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને લોન મંજુર કરવા માટે જરૂરી આદેશો આપવા વિનંતી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ એન્ડ શોપિંગ સેન્ટર ત્રણ ભાગમાં વહેંચાયેલી છે ૧) વેજીટેબલ માર્કેટ – અંદરના ભાગે ૨) શોપિંગ સેન્ટર બહારની સાઈડ હે આવેલ ૬૦ દુકાનો ૩) પહેલા અને બીજા માળે આવેલા ૧૨૦ આવાસો છે.