ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાયુ વાવાઝોડાની ત્રાટકવાની શક્યતા સેવાઇ રહી છે. ત્યારે સરકાર દ્વારા તરડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવામાં આવી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ તંત્ર હરકતમાં આવી ગયું છે. વાવાઝોડાની નહિવત દક્ષિણ ગુજરાતના દરિયાકાઠાંના વિસ્તારોમાં થવાની શક્યતાએ વલસાડમાં તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. સુરતમાં સુવાલી અને ઉભરાટ બીચને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લા તંત્ર દ્વારા તિથલના દરિયા કિનારના વિસ્તારોમાં લાઉડ સ્પીકર દ્વારા સાવચેત રહેવાની સૂચનાઓ અપાઇ રહી છે.