આખરે સંકટગ્રસ્ત શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી જવામાં સફળ રહ્યા છે, તે માલદીવ ભાગી ગયા છે.
AFP ન્યૂઝ એજન્સીએ અધિકારીઓના હવાલાથી આ સમાચાર આપ્યા છે.
તે કેવી રીતે ભાગવામાં સફળ થયા તે હજુ સુધી જાણી શકાયું નથી. તાજેતરમાં જ વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી લીધા બાદ રાજપક્ષે અહીંથી કોઈ અજાણી જગ્યાએ ભાગી ગયા હતા. તેમના રાજીનામાની સત્તાવાર જાહેરાત આજે એટલે કે 13મી જુલાઈએ થવાની હતી.
ગોટાબાયા રાજપક્ષેનું હસ્તાક્ષરિત રાજીનામું એક વરિષ્ઠ અધિકારીને સોંપવામાં આવ્યું હતું જે તેને સંસદના અધ્યક્ષને સોંપશે.
તેની ઔપચારિક જાહેરાત 13 જુલાઈએ થવાની હતી. શ્રીલંકામાં રસ્તા પરના વિરોધને જોતા હવે સર્વપક્ષીય સરકાર રચાશે તો કેબિનેટ રાજીનામું આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ, શ્રીલંકાના ભૂતપૂર્વ નાણાં પ્રધાન અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નાના ભાઈ બાસિલ રાજપક્ષે દેશ છોડીને ભાગી જવામાં નિષ્ફળ રહ્યા હતા.
બેસિલ કોલંબો એરપોર્ટના વીઆઈપી ટર્મિનલ પરથી તેઓએ દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ એક ઇમિગ્રેશન અધિકારીએ તેમને ઓળખી લીધા બાદ તેઓને મુસાફરી કરવા રોકી દેવાયા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ દુબઈ અથવા અમેરિકા ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. તે 12:15 વાગ્યે ચેક ઇન કાઉન્ટર પર પહોંચ્યા અને 3:15 વાગ્યા સુધી ત્યાં રહ્યા એરપોર્ટ પર લોકો તેઓને ઓળખી ગયા હતા અને ઇમિગ્રેશન ઓફિસરે ક્લિયરન્સ આપવાનો ઇનકાર કરતાં એરપોર્ટ છોડીને પરત ફરવું પડ્યું હતું. જણાવી દઈએ કે, દેશના શક્તિશાળી રાજપક્ષે પરિવાર વિરુદ્ધ લોકોના આક્રોશને જોતા 71 વર્ષીય બાસિલ પહેલા જ નાણા મંત્રી પદ પરથી રાજીનામું આપી ચુક્યા છે.