મોહમ્મદ પયગંબર પર વિવાદિત ટિપ્પણી કરનારા નુપુર શર્મા સામે વિશ્વના મુસ્લિમ દેશો ગુસ્સે ભરાયા છે ત્યારે નુપુર શર્માને ડચ સાંસદ ગીર્ટ વિલ્ડર્સે ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે.
નેધરલેન્ડના સાંસદ ગીર્ટ વિલ્ડર્સે ટ્વીટ કરીને કહ્યું કે હતું કે, ભારતે આતંકીઓની આગળ ઝૂકવું ન જોઈએ. ડચ સાંસદે ટ્વીટ કર્યુ, ‘અલકાયદા જેવા ઇસ્લામિક આતંકવાદીઓ સામે ન ઝુકો. તે બર્બરતાનું પ્રતિનિધિત્વ કરે છે.’ તેમણે લખ્યું કે ભારતે નુપુર શર્માનું સમર્થન કરવું જોઈએ. તેમણે કહ્યું, ભારતે નુપુર શર્મા સાથે આવવું જોઈએ અને સમર્થન કરવું જોઈએ. ઘણા વર્ષ પહેલા અલકાયદા અને તાલિબાને મને પોતાના હિટ લિસ્ટમાં રાખ્યા હતા.
તેમણે કહ્યું કે, નુપુર શર્માની વાત સાચી હતી અને તેમના નિવેદન પર ઇસ્લામિક દેશોનો ગુસ્સો વ્યાજબી નથી. એક અન્ય ટ્વીટમાં ડચ સાંસદે લખ્યું, ‘તૃષ્ટીકરણ ક્યારેય કામ કરતું નથી. તેનાથી ચીજો વધુ બગડશે. આઝાદી માટે ઉભા થાઓ અને પોતાના નેતા નુપુર શર્માને સાથ આપો.’ નેધરલેન્ડના સાંસદે આ મુદ્દા પર વિરોધ વ્યક્ત કરનાર દેશોને ઢોંગી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે આ દેશોમાં ન તો લોકતંત્ર છે અને ન કાયદાનું રાજ છે. ત્યાં કોઈ પ્રકારની આઝાદી નથી અને અલ્પસંખ્યકો પર અત્યાચાર થાય છે. ત્યાં માનવાધિકારની કોઈ સુનાવણી થતી નથી.
ગીર્ટ બિલ્ડર્સ નેધરલેન્ડના દક્ષિણપંથી નેતા છે. તેમણે નેધરલેન્ડમાં પાર્ટી ફોર ફ્રીડમની સ્થાપના કરી હતી. આ નેધરલેન્ડની ત્રીજી સૌથી મોટી પાર્ટી છે. એટલું જ નહીં તેઓ 1998થી નેધરલેન્ડમાં સાંસદ છે. તે ઇસ્લામિક દેશોની આલોચના કરવા માટે જાણીતા છે.
આમ,તેઓએ ખૂલેઆમ નુપુર શર્માનું સમર્થન કરી સપોર્ટ કરતા તેઓને પણ ધમકીઓ મળવાનું ચાલુ થઇ ગયું હોવાનું તેઓએ ઉમેર્યુ હતું.
Thursday, May 2