પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન થયું હોવાના અહેવાલ છે,તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા.
પાકિસ્તાનના વક્ત ન્યૂઝના અહેવાલમાં ભૂતપૂર્વ પાકિસ્તાન રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશર્રફનું અવસાન થયાની પૃષ્ટિ કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે ભારત સામે કારગિલ યુદ્ધ માટે જવાબદાર ગણાતા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા જેઓએ આજે દુબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
જોકે પાકિસ્તાનના કેટલાક પત્રકાર હજુપણ આ અહેવાલને ખોટા જણાવી રહયા છે કે તેઓનું કહેવું છે કે
નિધનના અહેવાલ ખોટા છે. તેઓ હાલ દુબઈની હોસ્પિટલમાં નહિ પરંતુ ઘરે વેન્ટીલેટર પર છે.
જોકે,પાકિસ્તાનના વક્ત ન્યૂઝના અહેવાલમાં મુશર્રફ નું નિધન થયું હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે.
Thursday, May 2