પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની સ્થિતિ ખૂબ નાજૂક છે. આજે તેમનું નિધન થયું હોય તેવા અહેવાલો અંગે મુશર્રફના પરિવારે ટ્વિટ કરીને ખુલાસો કર્યો છે કે, હવે તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની રિકવરી મુશ્કેલ છે. પરવેઝ મુશર્રફના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી તેમના પરિવારે માહિતી આપી છે કે, હવે તેઓ વેન્ટિલેટર પર નથી. તેમની બીમારી એમાઈલોયડોસિસના કારણે તેઓ છેલ્લાં 3 સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ છે. તેમની સ્થિતિ ગંભીર છે. તેમની રિકવરી મુશ્કેલ છે. તેમના એક એક અંગ ફેઈલ થઈ રહ્યા છે. તેમના માટે દુઆ કરો.
અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ‘વક્ત ન્યૂઝ’ને ટાંકીને કેટલાક મીડિયામાં અહેવાલ હતા કે મુશર્રફનું નિધન થઈ ગયું છે પણ બાદમાં એવો અહેવાલ આવ્યો હતો કે મુશર્રફનું નિધન થયું નથી પણ તેઓ ગંભીર રીતે બીમાર છે અને દુબઈની હોસ્પિટલમાં છે. ત્યાં એમને ત્રણ અઠવાડિયાથી દાખલ કરવામાં આવ્યા છે. એમના સાજા થવાની કોઈ આશા નથી, કારણ કે એમના ઘણા અવયવો કામ કરતા બંધ થઈ ગયા છે. એમના પરિવારે સ્પષ્ટતા કરી છે કે મુશર્રફને ન તો ઓક્સિજન પર રખાયા છે કે ન તો એ વેન્ટિલેટર પર છે.
જોકે,મુશર્રફ ના નિધન અંગે અનેક અટકળો વહેતી થઈ છે.