પાખંડી પાકિસ્તાનની પોલ ખુલ્લી પડી ગઈ છે અને ભારતમાં થયેલા 26/11ના મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ સાજિદ મીર જીવતો હોવાનું સામે આવ્યું છે. આઈએસઆઈને મોસ્ટ વોન્ટેડ ‘ સાજીદ મીરને મૃત જાહેર કર્યો હતો.
સાજિદ મીર 2010 સુધી લશ્કર-એ-તૈયબાના ઓપરેશન ચીફ ઝકી-ઉર-રહેમાન લખવીની સુરક્ષાની જવાબદારી સંભાળતો હતો. તેણે માત્ર વિદેશમાં આતંકવાદીઓની ભરતી જ નથી કરી પરંતુ પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ પણ ચલાવ્યા હતા.
પાકિસ્તાને 2008ના મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ સાજિદ મીરની અટકાયત કરી છે. આ પહેલા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયેલા સાજિદના મોતનો દાવો કર્યો હતો. નિષ્ણાતોના મતે પાકિસ્તાને FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે મીરને સજા આપવાનું નાટક કર્યું છે.
નિક્કી એશિયાના અહેવાલ મુજબ, એફબીઆઈના એક અધિકારીએ જણાવ્યું છે કે મીર જીવિત છે, કસ્ટડીમાં છે અને પાકિસ્તાનમાં સજા ભોગવી રહ્યો છે. 2011 માં, મીરને એફબીઆઈ દ્વારા તેના પર $ 5 મિલિયનની ઇનામ સાથે મોસ્ટ વોન્ટેડ સૂચિમાં સામેલ કરવામાં આવ્યો હતો. અમેરિકા અને ભારત બંને એક દાયકાથી તેને શોધી રહ્યા છે. લશ્કરના નેતા હાફિઝ સઈદનો નજીકનો સાજિદ મુંબઈ હુમલાના પ્લાનર ડેવિડ કોલમેન હેડલી અને અન્ય આતંકવાદીઓનો આકા હોવાનું મનાય છે.
પાકિસ્તાન સાજિદ મીરની ધરપકડ કરીને બતાવવા માંગે છે કે તે આતંકવાદ વિરુદ્ધ કામ કરી રહ્યું છે. આ ધરપકડને FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવાની યોજના કહેવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન જૂન 2018થી FATFની ગ્રે લિસ્ટમાં છે. આ વખતે જર્મનીમાં યોજાયેલી બેઠકમાં FATFએ કહ્યું હતું કે તે ગ્રાઉન્ડ ટેસ્ટ કર્યા બાદ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કરવાનો નિર્ણય લેશે.
આવી સ્થિતિમાં પાકિસ્તાન બતાવવા માંગે છે કે તે આતંકવાદ વિરુદ્ધ ખુલ્લેઆમ કામ કરી રહ્યું છે તેથી સાજીદ મીરની ધરપકડ કરી હોવાનું માનવામાં આવે છે.