ભારત અને પાકિસ્તાનમાં આજે બન્ને દેશો વચ્ચે રમાનારી મેચને લઈ ભારે ઉત્સુકતાનો માહોલ છે અને સાંજે લોકોએ મેચ માણવા અયોજનો ગોઠવી દીધા છે ત્યારે પાકિસ્તાનના ખેલાડીઓ કાળી પટ્ટી ધારણ કરી મેચ રમશે.
વિગતો મુજબ ભારત-પાકિસ્તાન વચ્ચે આજે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં એશિયા કપ 2022 ક્રિકેટની ટકકર થશે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ આ સમયે ભારત વિરુદ્ધ મેચમાં કાળી પટ્ટી બાંધી બાબર આઝમની આગેવાનીવાળી ટીમ સાથે મેદાનમાં ઉતરશે.
કાળી પટ્ટી બાંધવાનું કારણ પાકિસ્તાનમાં આવેલા વિનાશક પૂર ને મૃતકો માટે દુઃખ વ્યક્ત કરવાનું છે.
ક્રિકેટ મેચ યૂએઈના સમયાનુસાર સાંજે 6 કલાકે શરૂ થશે, ભારતમાં આ સમય સાંજના 7.30 વાગ્યાનો હશે.
પાકિસ્તાનમાં આ સમયે પૂરે લાખો લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધુ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી પાકિસ્તાનમાં પૂરથી 1 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે અને લાખો લોકો બેઘર થયા છે.
ખૈબર કખ્તૂનખ્વાં આ સમયે સૌથી વધુ પ્રભાવિત પ્રાંત છે. અહીં વરસાદ અને પૂરને કારણે થયેલી ભૂસ્ખલન અને અન્ય ઘટનાઓ અને પૂરથી આશરે 33 લાખ લોકો પ્રભાવિત છે અને 1033 લોકોના મોત થયા છે. મૃત્યુ પામનારમાં 456 પુરૂષ, 207 મહિલાઓ અને 348 બાળકો સામેલ છે. આ ઘટનાને લઈ પાકિસ્તાની ખેલાડીઓ પોતાની સંવેદના પ્રગટ કરવા કાળી પટ્ટી ધારણ કરી શોકની લાગણી પ્રદર્શિત કરી મેચ રમશે.