Iran: ઈરાનનું મોટું પગલું, ઇઝરાયલના આરોપો વચ્ચે સંસદમાં પરમાણુ શસ્ત્રો બિલ પસાર થયું
Iran: ઈઝરાયલ-અમેરિકા સાથે છેલ્લા યુદ્ધ બાદ હવે ઈરાન પરમાણુ કાર્યક્રમને લઈને એક મોટી ઘટના બની છે. ઈઝરાયલએ ૧૩ જૂને ઈરાન પર પરમાણુ શસ્ત્રો વિકસાવવાનો આરોપ લગાવ્યો અને હવાઈ હુમલો કર્યો હતો, જ્યારે ઈરાન આ દાવાને સતત ખોટો ઠેરવતો રહ્યો છે.
હવે, ઈરાનની સંસદે બુધવારે એક વિધાન પસાર કર્યું છે જેમાં તેઓ સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ નિરીક્ષણ સંસ્થા (IAEA) સાથેનો સહયોગ બંધ કરશે. આનો અર્થ એ થયો કે ઈરાન હવે પોતાના પરમાણુ કાર્યક્રમ પર IAEA દ્વારા કોઈ પણ પ્રકારનું નિરીક્ષણ સહન નહીં કરે.
આ બિલ હવે ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં મોકલાશે જ્યાં તેને ઝડપી મંજૂરી મળવાની શક્યતા છે. સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકર કાલિબાફે સ્પષ્ટ કર્યું છે કે હવે ઈરાન તેના નાગરિક પરમાણુ કાર્યક્રમને વધુ ઝડપથી આગળ ધપાવશે.
આ નિર્ણયને લઇને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા વધી છે, ખાસ કરીને નિષ્ણાતો ડરે છે કે ઈઝરાયલ અને અમેરિકાના હુમલાઓથી નારાજ થયેલ ઈરાન ભવિષ્યમાં પરમાણુ શસ્ત્રો બનાવવાની દિશામાં આગળ વધી શકે છે.
કાલિબાફએ IAEA પર આક્ષેપ લગાવ્યો છે કે તે ઈરાન પર થયેલા ઇઝરાયલી અને અમેરિકન હુમલાઓની નિંદા પણ કરવા માટે તૈયાર નથી અને તેની આ સંસ્થા પર વિશ્વસનીયતામાં પણ શંકા વ્યક્ત કરી છે.
અમેરિકાના હુમલાનો ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર શું અસર પડી?
યુએસ પેન્ટાગોન ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાની પરમાણુ સ્થળો પર યુએસ હવાઈ હુમલાઓથી ઈરાનના પરમાણુ કાર્યક્રમને મોટું નુકસાન થયું નથી. પેન્ટાગોનની ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના આંકડા અનુસાર, બોમ્બ ધડાકાથી ઈરાનના સમૃદ્ધ યુરેનિયમ ભંડારને ખાસ અસર થઈ નથી.
જોકે, વ્હાઇટ હાઉસે આ મૂલ્યાંકનને ખોટું ગણાવ્યું છે અને કહ્યું છે કે આ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અપમાનિત કરવાનો પ્રયાસ છે.
ઈરાન હવે પરમાણુ નિરીક્ષણ બંધ કરીને પોતાનો પરમાણુ કાર્યક્રમ વધુ ગુપ્ત રીતે આગળ ધપાવવાનો નિર્ણય લઈ ચૂક્યું છે. આ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ વધવાની શક્યતા છે અને વલણ સામે વધી શકે છે કે ઈરાન પરમાણુ હથિયાર તરફ આગળ વધી શકે.
આ ઘટનાઓમાં આગામી દિવસોમાં શું વળાંક આવે તે જોવું રસપ્રદ રહેશે.