Iran Israel News: ઈઝરાયલ સામેના યુદ્ધ વચ્ચે ઈરાનના શાહના પુત્રનો આક્રોશ – ‘આ વહીવટ હવે ચાલે તેમ નથી’
Iran Israel News: મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લઇને ઇરાનમાં આંતરિક અસંતોષ પણ ઝડપથી વધી રહ્યો છે. ઇરાનના ભૂતપૂર્વ શાસક પરિવારમાંથી રેઝા શાહ પહલવી — જે 1979ની ક્રાંતિ પહેલા ઇરાનના શાહના પુત્ર છે — હવે ખુદ અલી ખામેનીના શાસન સામે ખુલ્લું મોરચું ખોલી ચૂક્યા છે.
રેઝા પહલવીનો ત્રાટકતો સંદેશ: “આપણો સમય આવી ગયો છે”
બીબીસી સાથેના ઇન્ટરવ્યૂમાં રેઝા પહલવીએ જણાવ્યું:
“આ યુદ્ધ ઇરાનના નાગરિકોનું નથી. આ અલી ખામેનીનું યુદ્ધ છે. હવે સરકાર બદલવાનો સમય આવી ગયો છે. આપણો સમય આવી ગયો છે.”
તેમણે વધુમાં કહ્યું કે તેઓ છેલ્લા 40 વર્ષથી ઇરાનમાં લોકશાહી સ્થાપવા માટે લડી રહ્યા છે અને આજની પરિસ્થિતિ એ બદલાવ લાવવાનો શ્રેષ્ઠ અવસર છે.
“ઈઝરાયલના હુમલાઓથી લોકોએ નહિ, સરકારે અસર થવી જોઈએ”
રેઝા શાહના મતે, ઇઝરાયલના હુમલાનો ઉદ્દેશ્ય ઇરાનના સામાન્ય નાગરિકોને નહીં, પરંતુ શાસક તંત્રને નિશાન બનાવવાનો છે. તેમણે કહ્યું કે આ હુમલાઓ બાદ જો સરકાર નબળી પડે છે, તો ઇરાન માટે નવા ભવિષ્યના દરવાજા ખુલી શકે છે.
ખામેનીના નજીકના અધિકારીના મૃત્યુથી તણાવ વધી ગયો
ઇઝરાયલના હવાઈ હુમલામાં ઇરાનના ટોચના લશ્કરી અધિકારી મેજર જનરલ અલી શાદમાની માર્યા ગયા છે. તેઓ ખામેનીના એક નજીકના સહયોગી માનાતા હતા. તેલ અવિવ સ્થિત મોસાદ હેડક્વાર્ટર પર ઇરાન દ્વારા જવાબી હુમલો કરવામાં આવતા તણાવ વધુ ઘાતક સ્તરે પહોંચ્યો છે.
વિશ્વજોડે ચિંતા, ભારત સહિત દેશોએ નાગરિકોને તાત્કાલિક ઇરાન છોડવાની સલાહ આપી
મહત્ત્વનું છે કે યુદ્ધની આ ઘાતક પરિસ્થિતિ વચ્ચે અમેરિકા, ભારત સહિતના અનેક દેશોએ તેમના નાગરિકોને ઇરાન છોડવાની સૂચના આપી છે. પશ્ચિમી તેહરાન અને અન્ય વિસ્તારોમાં સતત હુમલાઓ થઈ રહ્યા છે.