સંયુક્ત રાષ્ટ્રના કહેવા પ્રમાણે મંગળવારે ઉત્તરી ઇરાકના શહેર મોશૂલમાં કથિત ઇસ્લામિક સ્ટેટ એટલે કે ISISએ કથિત રીતે 49 નાગરિકોને દેશદ્રોહનો આરોપ લગાવી ગાળી મારી હત્યા કરી. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયના સૂત્રોના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હત્યા કર્યા બાદ તેઓની લાશોને શહરના અલગ-અલગ વિસ્તારોમાં વીજળીના થાંભલાઓ પર લટકાવી દેવામાં આવી.
મળતી માહિતી પ્રમાણે મધ્ય મોશુલમાં એક વ્યક્તિને ઇસ્લામિક સ્ટેટે એટલા માટે મારી નાંખી કેમ કે તે પ્રતિબંધ હોવા છતાં મોબાઇબલ ફોન વાપરી રહ્યો હતો. ઇરાકી સેના સતત આઇએસના કબજા હેઢળના મોસુલને છોડવવાન માટે પ્રયત્નો કરી રહ્યું છે. 40 નાગરિકોને દેશદ્રોહ સાથે નારંગી રંગના કપડા પર એજન્ટ લાર રંગથી દેશદ્રોહી અને ઇરાકી સેનાના એજન્ટ શબ્દ લખેલો હોવાનો આરોપ હતો.
સંયુક્ત રાષ્ટ્રએ ચિંતા જતાવી છે કે આઈએસ કિશોરોને આત્મઘાતી હુમલાખોર બનાવી તૈનાત કરી રહ્યું છે. બુધવારે પ્રસારિત કરવામાં આવેલા એક વીડિયોમાં કેટલાક કિશોરોને જાસૂસીનો આરોપ મૂકીને મોતને ઘાટ ઉતારતા બતાવવામાં આવ્યા હતા.