Israelમાં નેતન્યાહૂ સરકાર સંકટમાં, ગઠબંધન પક્ષોની ચેતવણી
Israelમાં રાજકીય અસ્થીરતા ઊંડી બની રહી છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ગઠબંધન સરકાર હવે મોટાં દબાણ હેઠળ છે, કારણ કે ધાર્મિક પાર્ટીઓ લશ્કરી છૂટ અંગે કાયદામાં ફેરફારની માંગ સાથે સંસદ ભંગ કરવાની ધમકી આપી રહી છે.
બુધવારે વિપક્ષે સંસદ ભંગ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો કે, તે તરત જ કાયદો બની શકતો નથી, કારણ કે તેને મંજૂરી માટે ચાર તબક્કા ઓળંગવાના રહેશે. સરકારી સૂત્રોનું કહેવું છે કે હાલમાં સંભવિત સમાધાન માટે ચર્ચાઓ ચાલુ છે.
સમસ્યાનું મૂળ: લશ્કરી સેવામાં ધાર્મિક છૂટ
ઇઝરાયલમાં ધાર્મિક શિખણ લેનારા યુવાનોએ લાંબા સમયથી લશ્કરી સેમાંથી મુક્તિ મેળવી છે. પરંતુ 2017માં સુપ્રીમ કોર્ટે આ મુક્તિને ગેરબંધારણીય જાહેર કરી હતી. ત્યારથી આ મુદ્દે કાયદો બન્યો નથી. નેતન્યાહૂના ગઠબંધનમાં સામેલ અતિ-રૂઢિચુસ્ત ધર્માધારક પક્ષો હવે દબાણ કરી રહ્યાં છે કે લશ્કરી છૂટ આપતો કાયદો તરત પાસ થાય, નહિતર તેઓ સરકારથી સમર્થન ખેંચી લેવાની ચીમકી આપી રહ્યા છે.
શું તાત્કાલિક ચૂંટણી થઈ શકે?
હાલમાં સંસદ ભંગ કરવાના પ્રસ્તાવને થોડા સમય માટે મુલતવી રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લિકુડ પાર્ટી, જે નેતન્યાહૂના નેતૃત્વમાં છે, તે સંસદની મહત્વની સમિતિઓ પર નિયંત્રણ ધરાવે છે અને તે વિધાન પ્રક્રિયાને ધીમું કરી શકે છે. અલબત્ત, જો ગઠબંધનના ધાર્મિક પક્ષો સમર્થન પાછું ખેંચે, તો સરકારના પાયામાં હલનચલન આવી શકે છે.
આગળ શું?
શાસ (Shas) અને યુનાઇટેડ તોરાહ યહૂદિ (United Torah Judaism) જેવા પક્ષોએ ખુલ્લેઆમ જણાવ્યું છે કે તેઓ સંસદ ભંગના પક્ષમાં મત આપશે જો લશ્કરી મુક્તિ કાયદો નહીં પસાર થાય. આનો અર્થ એ છે કે સરકાર સમર્થન ગુમાવી શકે છે. જોકે, વિધાન પ્રક્રિયામાં હજુ પણ અઠવાડિયાં અથવા મહિના લાગી શકે છે.