સ્વિત્ઝરલેન્ડની બેંકોમાં ગુપ્ત રીતે ખાતું ધરાવતા ભારતીયો વિરુદ્ધ બંને દેશોની સરકારે સકંજો કસવાનું શરુ કર્યું છે. સ્વિત્ઝરલેન્ડના અધિકારી આ સંદર્ભમાં ઓછામાં ઓછા 50 ભારતીયો લોકોની બેંક સંબંધિત માહિતી ભારતીય અધિકારીઓને સોંપવાની પ્રક્રિયામાં લાગ્યા છે.
આવા લોકોમાં મોટા ભાગના જમીનની મિલકતા, નાણાંકીય સેવા, ટેકનોલોજી, દૂરસંચાર, પેન્ટ, ઘરેલુ વસ્તુઓ, કપડાં, એન્જિનિયરિંગ અને આભૂષણોના ક્ષેત્રમાં કારોબાર કરતાં મોટા ઉદ્યોગપતિઓ સામેલ છે. એમાંથી કેટલીક બોગસ કે ડમી કંપની પણ હોઈ શકે છે.
આ મહત્વની માહિતી બંને દેશો વચ્ચેના અરસપરસના વહીવટી સહાયતા પ્રક્રિયામાં સામેલ અધિકારીઓએ આપી છે. સ્વિત્ઝરલેન્ડની સરકાર ટેક્સ-ચોરોને પોતાને ત્યાં સાચવે છે, તેવી પોતાના દેશની છબીને બદલવા માટે કેટલાય વર્ષો સુધારા કર્યા છે. એટલે હવે સ્વિત્ઝરલેન્ડ વિવિધ દેશોના સંદિગ્ધ વ્યક્તિઓના બેંક ખાતાની માહિતી સંલગ્ન દેશોના અધિકારીઓને આપવાની વ્યવસ્થા કરી રહી છે. તેમજ આ પ્રક્રિયા સ્વિત્ઝરલેન્ડે ઝડપી બનાવી દીધી છે. છેલ્લા કેટલાક સપ્તાહથી ભારત સંબંધિત આ પ્રકારના બેંક ખાતા ધરાવતા લોકોની માહિતીનું આદન-પ્રદાન કરવાની પ્રક્રિયા સ્વિત્ઝરલેન્ડ ઝડપી બનાવી દીધી છે.
ભારતમાં કાળાધનનો મામલો રાજકીય રીતે સંવેદનશીલ છે. સ્વિત્ઝરલેન્ડના અધિકારીઓએ માર્ચથી હમણાં સુધીમાં ઓછામાં ઓછા 50 ભારતીય બેંક અકાઉન્ટધારકોને નોટિસ ફટકારીને એમની માહિતી ભારત સરકારને આપતાં પહેલાં, એમને ખુલાસાની અંતિમ તક આપી છે. સ્વિત્ઝરલેન્ડ સરકારે ગેઝેટ દ્વારા સાર્વજનિક કરેલી માહિતીમાં ખાતાધારકોનું પુરું નામ નહીં પરંતુ શરુઆતનો પ્રતમ અક્ષર જણાવ્યો છે. આ સિવાય ખાતાધારકની રાષ્ટ્રીયતા અને જન્મતિથિનો ઉલ્લેખ કર્યો છે.
ગેજેટ અનુસાર ફક્ત 21 મેના રોજ 11 ભારતીયોનો નોટિસ આપી છે. જેમાં ભારતીયોના આખા નામ છે, એમાં 1949માં જન્મેલાં કૃષ્ણ ભગવાન રામચંદ અને સપ્ટેમ્બર-1972માં જન્મેલાં કલ્પેશ હર્ષદ કિનારીવાલા સામેલ છે.
જોકે, આ બંને નામ અંગે વધુ ખુલાસો કરાયો નથી. અન્ય નામો પણ જન્મના વર્ષ અને શરુઆતી અક્ષર આધારી છે.