નવી દિલ્હી : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ઘરના નિર્માણ દરમિયાન ગૌતમ બુદ્ધની પ્રાચીન પ્રતિમા મળી હતી. મૂર્તિને બિન-ઇસ્લામિક હોવાનો દાવો કરીને તેને તોડી નાખવામાં આવી હતી. હવે આ મામલામાં સ્થાનિક પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. સ્થાનિક લોકોએ કહ્યું કે મૌલવીના આદેશથી ઐતિહાસિક પ્રતિમા તોડવામાં આવી હતી.
પોલીસે એન્ટિક્વિટી એક્ટ (Antiquity Act) હેઠળ એફઆઈઆર નોંધીને ચાર શકમંદોની ધરપકડ કરી છે. પોલીસ અધિકારી જહિદુલ્લાએ કહ્યું, ‘બાંધકામ કામદારો પાણીની લાઇનો ખોદતા હતા. આ દરમિયાન કામદારોને આ પ્રતિમા મળી. આ કેસમાં અમે કોન્ટ્રાક્ટર કમર જમન અને તેના કામદારો અમજદ, અલીમ અને સલીમની ધરપકડ કરી છે. અમને તેની પાસેથી મૂર્તિના કેટલાક તૂટેલા ભાગો પણ મળી ગયા છે.